________________
અભિનવ ઉધોગતીર્થ
પચીસેક વર્ષ કાપડ ઉદ્યોગમાં આપ્યા પછી કસ્તૂરભાઈની નજર બીજા ઉદ્યોગો તરફ ગઈ. કુટુંબના માણસોનો સમાવેશ કરવાનો પ્રશ્ન પણ હતો. ૧૯૩૭માં તેમને કાંજીના ઉત્પાદનનો ઉદ્યોગ શરૂ કરવાનો વિચાર આવ્યો. તે માટે વ્યવસાયના જાણકારની શોધ શરૂ કરી. ગૅનન ડંકíની બ્રિટિશ પેઢી સાથે તેમને સારો સંબંધ હતો. કસ્તૂરભાઈએ તેમને સ્ટાર્સ ઇન્ડસ્ટ્રી અંગે સલાહ આપે એવો નિષ્ણાત શોધી આપવા વિનંતી કરી. તેમણે એક યહૂદી ઇજનેરને મોકલ્યો. કસ્તૂરભાઈએ તેને ઉચ્ચક પગાર પર રોક્યો. તેણે સ્ટાર્ચના કારખાના માટે જરૂરી યંત્રસામગ્રી અને પ્લાન્ટ ઊભો કરવા માટેના આલેખો વગેરે માટે વિદેશો સાથે વાટાઘાટો કરીને ફ્રાન્સ, ડેનમાર્ક અને જર્મનીના પ્લાન સ્વીકાર્યા. પણ લડાઈ ફાટી નીકળવાને કારણે ત્રણે દેશની પાર્ટીઓ છૂટી પડી. યહૂદી ઇજનેરે જર્મન મશીનરી હાથે માર્ક લગાવીને ભારત મોકલી. કેટલીક મશીનરી આવી ને કેટલીક લડાઈને કારણે ઇટાલીના રાતા સમુદ્રમાંના મસાવા બંદરે પહોંચી ગઈ. પાછા આવીને એ ઇજનેરે કહ્યું: “હું શું કરે? હવે કશું થઈ શકે નહીં.” લડાઈ ચાલતી હતી તેથી યહૂદી હોવાને કારણે તેને અટકમાં લઈ ઓસ્ટ્રેલિયા મોક્લી આપવામાં આવ્યો.
કસ્તૂરભાઈએ ભારત સરકારને વિનંતી કરી કે અટકમાં લીધેલ ઈજનેરની તેમના સ્ટાર્ચના કારખાના માટે જરૂર છે એટલે તેને છોડાવીને અમને સોંપવો
Scanned by CamScanner