________________
વાટાઘાટ અને વિટિ
૭૯
દાખલાઓમાંની એક હશે.
બ્રિટનને પૂર્વ આફ્રિકાનું રૂ સસ્તા ભાવે મળતું અને એ જ રૂ માટે ભારતને મધ કિમત ચૂકવવી પડતી. આ વિષમતા દૂર કરવા માટે ૧૯૪૪માં ભારત અને બ્રિટનના પ્રતિનિધિઓની પરિષદ બોલાવવામાં આવી હતી. લાંબી મંત્રણાઓને અંતે બંને દેશો વચ્ચે સંતોષકારક સમજૂતી સાધી શકાઈ તેમાં પણ કસ્તૂરભાઈનો અગ્રહિસ્સો હતો.૧૨
૧૯૪૩માં તે વખતના ઉદ્યોગમંત્રી સર રામસ્વામી મુદલિયારે “કાઉન્સિલ ઍક સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ'ની સ્થાપના કરેલી. તેના સભ્ય થવા માટે સર રામસ્વામીએ કસ્તૂરભાઈને નિમંત્રણ મોકલ્યું. પત્નીની ફરિયાદ હતી કે જાહેર પ્રવૃત્તિઓમાં બહુ સમય જાય છે એટલે આ નિમંત્રણનો અસ્વીકાર કરવો. આ સલાહને અનુસરીને કસ્તૂરભાઈએ રામસ્વામીના નિમંત્રણનો સાભાર અસ્વીકાર કર્યો. પરંતુ છેવટે ઉદ્યોગમંત્રીના દબાણને વશ થઈને તેમને “સી.એસ. આઈ.આર.'નું સભ્યપદ સ્વીકારવું પડ્યું. પછી તો છ વખત કાઉન્સિલના સભ્યપદે તેમની નિયુક્તિ થઈ. આઝાદી આવ્યા પછી જવાહરલાલ નેહરુ તે કાઉન્સિલના પ્રમુખ બનેલા. કસ્તૂરભાઈના સૂચનથી કાઉન્સિલની અંતર્ગત એક નાણાં સમિતિ રચવામાં આવેલી, જેના અધ્યક્ષ તરીકે તેમણે પોતે વર્ષો સુધી સેવા આપેલી. તેમની અનિચ્છા છતાં છેક ૧૯૫૯ સુધી જવાહરલાલના આગ્રહને કારણે કસ્તૂરભાઈએ તે સમિતિનું સુકાન સંભાળેલું.
૧૯૪પના એપ્રિલમાં અમેરિકામાં વૉશિંગ્ટન ખાતે સાથી રાજ્યોના પ્રતિનિધિઓની પરિષદ ભરવામાં આવેલી. તેમાં લડાઈ માટે ઉપયોગનું અમુક પ્રકારનું કાપડ ક્યા ક્યા દેશ ઉત્પન્ન કરી આપશે તેની ચર્ચા થવાની હતી. તે પરિષદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કસ્તુરભાઈએ હાજરી આપી હતી.
- ૧૯૪૬ના સપ્ટેમ્બરમાં કસ્તૂરભાઈ અમેરિકામાં હતા ત્યારે ભારત સરકારે તેમને બ્રિટનના કાપડ મિલનાં યંત્રોના ઉત્પાદકોની સાથે વાટાઘાટો કરીને સમજૂતીના કરાર કરવા માટે લંડન પહોંચવા માટે વિનંતી કરતો તાર મોકલ્યો. ભારત સરકારે કૃષ્ણરાજ ઠાકરશી, ધરમશી ખટાઉ, સર ફેડ સ્ટોન્સ અને સર જહોન ગ્રીઝની ટુકડી મોકલી હતી. કસ્તૂરભાઈ લંડનમાં તેમને મળ્યા. બ્રિટિશ પેઢીએ તેના ઉપાધ્યક્ષને વાટાઘાટો માટે મોકલ્યા હતા. સામા પક્ષ તરફથી મિલ
Scanned by CamScanner