________________
૮૦
પરંપરા અને પ્રગતિ
યંત્રોના ઉત્પાદકોને એક કરોડ રૂપિયા ગુડવીલના અને પચાસ લાખ રૂપિયા કુલ્લે રોયલ્ટીના ભારત આપે એવી ઇચ્છા વ્યક્ત થઈ. ભારતીય પ્રતિનિધિઓએ તેની સામે એવી દરખાસ્ત મૂકી કે નવા સાહસમાં ભારત તેમને શેર આપે જેમાંના અમુક શેર તેમને વિનામૂલ્ય મળે ને અમુકમાં તેમનું રોકાણ થાય. બે અભિપ્રાયો વચ્ચે એટલું મોટું અંતર હતું કે સમજૂતી પર આવવાનો સંભવ નહીં જેવો હતો.
શાહી સરકાર તરફથી મહેમાનો માટે મિજબાની ગોઠવવામાં આવી હતી. ત્યાં કસ્તૂરભાઈ સર કેનેથ પ્રિસ્ટનને મળ્યા ને બીજે દિવસે તેમને મળવાની ઈચ્છા બતાવી.
“બંને પક્ષનાં દૃષ્ટિબિંદુઓ વચ્ચે એટલું મોટું અંતર છે કે મળવાનો કોઈ અર્થ દેખાતો નથી.” સર કેનેથે સ્પષ્ટ સંભળાવ્યું.
“સર કેનેથ, આપ એટલું સમજી લો કે અમે પાંચ હજાર માઈલ દૂરથી અહીં આવ્યા છીએ તે ખાલી હાથે પાછા જવા માટે નહીં.” કસ્તૂરભાઈએ પોતાનો નિશ્ચય જણાવ્યો.
- કસ્તૂરભાઈની ગણતરી એવી હતી કે નવા સાહસની શરૂઆતમાં નાની મૂડી રાખવી જેથી તેમને વિનામૂલ્ય આપવાના શેરની કિંમત ઓછી થાય ને પછીથી મૂડી વધતાં રોકડ રકમ ભરીને તેમણે શેર લેવા પડે.
બીજે દિવસે વાટાઘાટો આગળ ચાલી. લાંબી મંત્રણાને અંતે કસ્તૂરભાઈ કાપડયંત્ર-ઉત્પાદકોને છવ્વીસ ટકા જેટલી કિંમતના શેર લેવા સમજાવી શક્યા, જેમાંથી સત્તર ટકા તેમને વિનામૂલ્ય આપવાના હતા ને નવ ટકાની કિંમત લેવાની હતી. દોઢ કરોડનું મૂડીરોકાણ રાખવાની સમજૂતી થઈ. આનો અર્થ એ થયો કે દોઢ કરોડની મૂડીમાં ચાળીસ લાખ જેટલો સામા પક્ષનો ભાગ ગણાય. આમાંથી ૨૫ લાખના શેરે તેમને વિનામૂલ્ય આપવાના હતા, જેના બદલામાં કંપનીના નામ (Textile Machinery Manufacturers) અને તેના સૂત્રનો ‘નો હાલનો–ઉપયોગ ભારતમાં થાય. બાકીના આશરે પંદર લાખ રૂપિયાશેરની કિંમત તરીકે સામા પક્ષે ચૂકવવાનું ઠર્યું.૧૩ દોઢ કરોડ પરથી માત્ર પચીસ લાખ પર સમજૂતી સાધી શકાઈ તેના જેવો લાભકારક કરાર હજુ સુધી ભારતમાં બીજો કોઈ થયો નથી એમ કસ્તૂરબાઈનું માનવું છે. વેપારની બાબતમાં સમજૂતી અને સમજાવટની શક્તિ તેમનામાં કેટલી અસાધારણ છે તે આ અને
Scanned by CamScanner