________________
વડી ધારાસભામાં ૫૩
બાએ કહ્યું: “બે મિલની મોટી જવાબદારી છે. તેમાં આ વધારાનો બોજો ન લો તો સાર.” આ વખતે મોટાં બહેન ડાહીબહેન હાજર હતાં. તેમણે આ નવી તક ઝડપી લેવા ભાઈને પ્રોત્સાહન આપ્યું.૩
સ્તરભાઈએ વિચાર્યું: ‘આપણે આવા પદ કે પ્રતિષ્ઠાની પાછળ જતા નથી. સામેથી આવે છે તો ના ન પાડવી. સહજ મિલા સોદૂધ બરાબર.”
બીજી જ ક્ષણે તેમણે સરદારને કહ્યું: “મંગળદાસ શેઠ મદદ કરતા હોય તો ચૂંટણીમાં ઊભા રહેવામાં વાંધો નથી.”
સરદાર ખુશ થયા.બંને મિત્રો સીધા શેઠ મંગળદાસને બંગલે ગયા. તેમણે કસ્તુરભાઈને બધી રીતે મદદ કરવાનું વચન આપ્યું.
અમદાવાદ મિલમાલિક મંડળના કુલ ૭૩ મતદારો હતા. ચૂંટણી રસાકસીભરી થવાની હતી. કેમ કે માણેક્લાલ પણ તેમના પિતાની વગને કારણે સારો દેખાવ કરી શકે તેમ હતા.
મુંબઈ ધારાસભામાં એક બેઠક મિલમાલિકોની હતી તેની પણ ચૂંટણી એ દિવસોમાં થવાની હતી. તે બેઠક માટે મિલમાલિક મંડળના મંત્રી ગોરધનભાઈ પટેલ અને નરસિંહદાસ જેકિશનદાસ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ગોરધનભાઈએ કસ્તૂરભાઈ સમક્ષ તેમના મતની માગણી કરી:
તમે મને અહીં મત આપો તો હું તમને દિલ્હીની ધારાસભા માટે ટેકો આપી શકું”
મેં નરસિંહદાસને વચન આપ્યું છે એટલે લાચાર છું” કસ્તૂરભાઈએ
કહ્યું.
તે જાણતા હતા કે પોતાની અને માણેકલાલની વચ્ચે ગળાકાપ સ્પર્ધા થવાની છે. એટલે એક મતની કિંમત ઘણી ગણાય. પરંતુ તેનાથી ઊંચું મૂલ્ય તેમને મન પોતે આપેલા વચનનું હતું.' | ચૂંટણી થઈ. તેમાં કસ્તૂરભાઈને આડત્રીસ મત મળ્યા ને માણેકલાલને તેત્રીસ મળ્યા. ગોરધનભાઈનો અને વિક્ટોરિયા આયર્ન વકર્સવાળા પેસ્તનશાનો મત રદ થયો હતો.
વડી ધારાસભામાં ગયા તો ખરા, પણ પોતે જેમના પ્રતિનિધિ હતા તેમને માટે કશું ન કરીએ તો તેમનો દ્રોહ કર્યો ગણાય એવી કશીક લાગણી તેમને થયા
Scanned by CamScanner