________________
વાટાઘાટ અને વિષ્ટિ
૬૯
કરભાઈએ બિરલાજીનું દબાણ લાવીને દેવીપ્રસાદને પોતાના પક્ષમાં Aવી રાખ્યા. એટલે હોમી મોદી સમાધાન કરવા તૈયાર થયા. હોટેલ સેસિલમાં તમી મોદીનો મુકામ હતો. ત્યાં ફેંકેશાયરના પ્રતિનિધિ સર વિલિયમ કૉર-લીસ, કસ્તુરભાઈ અને મોદી મંત્રણા માટે મળ્યા.
હું લેકેશાયરને મદદ કરવાની વિરુદ્ધ નથી. પણ તે હિંદુસ્તાનની મિલોને ભોગે ન બનવું જોઈએ.”—કસ્તૂરભાઈએ સર વિલિયમને સ્પષ્ટ કહ્યું.
એ શી રીતે બને?” સર વિલિયમે પૂછ્યું.
“અત્યારે લેકેશાયરના કાપડની આયાત સરેરાશ ૩૫ કરોડ વાર છે. દેશી મિલોના ઉત્પાદન ઉપરાંત ૪૦ કરોડ વાર કાપડ જાપાનથી આવે છે. તમારા કાપડની આયાત ૭૦ કરોડની કરીએ તો અમારી મિલોને તેની વિપરીત અસર ન થાય. પછી આયાત-જકાતમાં વાજબી ઘટાડો કરો તો મને વાંધો નથી.” કસ્તૂરભાઈએ સમજાવ્યું. * સર વિલિયમ લૅર-લીસને આ સમાધાન ગળે ઊતર્યું પણ તેમણે બ્રિટિશ ટ્રેડ કમિશનર સર થોમસ એઈન્સકોનને આ હકીકત કહી ત્યારે તેમણે કહ્યું: હિંદુસ્તાનમાં બ્રિટિશ ઇમ્પોર્ટનો કવોટા નક્કી થાય એને હું મુદ્દલે સ્વીકારું નહીં; છતાં તમારો આગ્રહ હોય તો બોર્ડ ઓફ ટ્રેડના સેક્રેટરી મિ. રેમન્ડ સ્ટ્રીટને કેબલ
આ સંજોગોમાં કસ્તૂરભાઈની દરખાસ્ત સ્વીકારાઈ નહીં પણ તેથી તે નાસીપાસ થયા નહીં. તેમણે મોદીને કહ્યું: “હું બીજી યોજના ઘડી કાઢીશ. આપણે મુંબઈમાં મળીએ ત્યાં સુધી છેવટનો નિર્ણય ન લેશો.” - સિમલાથી દિલ્હી આવ્યા. વાઇસરૉયે જાણેલું કે આ મામલામાં કસ્તૂરભાઈ વિરોધ કરે છે. એટલે પોતાની વગ વાપરવા વાઇસરૉયે તેમને મળવા આવવાનો સંદેશો સેક્રેટરી મારફતે મોકલ્યો. કસ્તૂરભાઈએ સેક્રેટરીને કહ્યું : “નામદાર વાઇસરૉયને મળતાં મને ખૂબ આનંદ થશે. પરંતુ તેઓશ્રી મેં જે દરખાસ્ત રજૂ કરી છે તેની વિચારણા કરે. મારી દરખાસ્ત હિંદ અને લૅ કેશાયર બંનેના હિતમાં છે.”
આ જવાબ પછી મુલાકાત ગોઠવાઈ નહીં. અલ્લાહાબાદ ખાતે કૃષ્ણા અને રાજ હઠીસિંગનાં લગ્નમાં હાજરી આપીને કસ્તૂરભાઈ દિલ્હી આવતા પહેલાં મુંબઈ ગયા. ત્યાં એફ. ઈ. દિનશા અને બીજા બે મુંબઈના મિલમાલિકોને
Scanned by CamScanner