________________
વડી ધારાસભામાં ૫૯
સભાના અધ્યક્ષની વરણી થઈ તે વખતે પણ સરકારની પસંદગીના રંગાચારીની સામે સ્વરાજ પક્ષના ઉમેદવાર વિઠ્ઠલભાઈ પટેલને જ તેમણે ટેકો આપ્યો હતો. એ ચૂંટણીમાં વિઠ્ઠલભાઈને ૫૫ અને રંગાચારીને ૩૯ મત મળેલા.) આમ. સ્વરાજ પક્ષની નીતિ અને ભાવના સાથે કસ્તૂરભાઈએ એકાત્મતા સાધી હતી.
હદમાં તેમની મુદત પૂરી થઈ, ત્યારે મોતીલાલજીએ તેમને પ્રમાણપત્ર આપેલું 3. “તમે અમારી સ્વરાજ પાર્ટીના અનેક સભ્યોના કરતાં સવાયા સ્વરજિસ્ટ છો ”૧૩ જાણીતા અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તે વખતે વડી ધારાસભાની ધર્યવાહીની સમીક્ષા કરતો અગ્રલેખ લખ્યો હતો. તેમાં કસ્તુરભાઈનાં ધારાસભામાંનાં ભાષણોને ‘મુદ્દાસર’ને ‘વિવેકપૂર્ણ કહીને વખાણ્યાં હતાં.
આ ત્રણ વર્ષ દરમ્યાન દેશના આર્થિક અને રાજકીય પ્રશ્નોનો વ્યાપક ભૂમિકા પર ઊંડો અભ્યાસ કરવાની તેમને તક મળી. તેને પરિણામે તેમણે જે કામગીરી બજાવી તેનાથી તેમને એક રાષ્ટ્રપ્રેમી, લોકહિતૈષી ઉદ્યોગપતિ તરીકે દેશભરમાં ખ્યાતિ મળી ગઈ.
૧. ગાંઅ ૨૩, પૃ. ૧૦૯. ૨. માજી, પૃ. ૧૩૮. ૩. KD, p. 6. ૪. KD, p. 7. ૫. KD, p. 7. ૬. HICTI, p. 71. ૭. HICTI, pp. 79–80. ૮. HICTI, pp. 81-82. ૯. KD, p. 8. ૧૦. HICTI, p. 74. ૧૧. KD, pp. 8–9. ૧૨. HICTI, pp. 84–85. ૧૩. KD, p. 10.
Scanned by CamScanner