________________
શાન્તાનુકૂળ પવનો ૩૭
1
“ભાઈ, અભ્યાસ છોડીને મિલના કામમાં જોડાઈ જા"
હજ માંડ છ મહિના કોલેજમાં કાઢયા હતાં એટલામાં તે છોડવાની વાત આવી તે કસ્તૂરભાઈને ગમ્યું નહીં. મનમાં ગડમથલ ચાલી. ભણવાની ઉર ઇચ્છા હતી. બીજી તરફ લાગતું હતું કે મારા TMIK વિજાપાતીલોની આજ્ઞાનું ઉલ્લંઘન શી રીતે થાય? છેવટે માતાની ઇચ્છાનો વિજય નો ૧ દલીલ કર્યા વગર તત્કાળ કોલેજ છોડી દીધી અને ૧૯૧૨ના ઓગસ્ટમાં મિલના વહીવટમાં જોડાઈ ગયા.
મોટાં બહેન ડાહીબહેને જોયું કે મજબૂરીથી ધંધામાં જોડાવાનું આવ્યું એટલે સ્તરભાઈને કોલેજ છોડવી પડી છે. તેમણે ભાઈને શિખામણ આપી:
ભણતર અધૂરું રહ્યું તો ભલે, પણ ભાઈ, અંગ્રેજી શીખવાનું રાખજે, ધંધામાં કામ લાગશે.”
' ભાઈએ બહેનની સોનેરી શિખામણ માથે ચડાવી. ધંધામાં ગળાબૂડ ડૂબેલા હોવા છતાં, ઘેર શિક્ષક રાખીને, મહેનત કરીને, અંગ્રેજીનો અભ્યાસ પાકો કરી લીધો. આને લીધે આગળ જતાં દેશમાં તેમ જ પરદેશમાં વિવિધ વ્યવસાયના માણસો સાથે સીધી વાતચીત કરવામાં તેમને સહેજ પણ મુક્લી પડી નહીં. - થોડે નફે ઝાઝો વેપાર ખેડવાનો એ જમાનો હતો. અમદાવાદમાં ઘણાંખરાં કારખાનાં પાંચ લાખ રૂપિયાની મૂડીથી ઊભાં થયેલાં. પછી લાંબા ગાળાનાં રોકાણો તેમ જ ચાલુ ખર્ચ માટે મૂડી જોઈએ તે થાપણો દ્વારા કે બૅન્કોની નજીવી મદદથી ઊભી થઈ શકતી.
- કસ્તૂરભાઈએ રાયપુર મિલમાં જવાનું શરૂ કર્યું તે વખતે ચારે બાજુમંદીનું વાતાવરણ હતું. મિલ માત્ર સૂતર ઉત્પન્ન કરતી. ૧૯૧૨માં તેનો એકંદર નફો રૂ. ૫૫,૦૦૦ હતો. તેમાંથી ઘસારા ખર જતાં મૂડીના રોકાણના પ્રમાણમાં ખોટ જવા જેવી સ્થિતિ હતી. મિલની આ દશા જોઈને નવા આવેલા કસ્તૂરભાઈને લાગ્યું કે પિતાજી ત્રણ લાખ રૂપિયાના શેર મૂકી ગયા છે, તેને બદલે એટલી રોકડ રકમ મૂકી ગયા હોત તો તેના વ્યાજમાંથી સુખે રહી શકાત.
પરંતુ આ તો ક્ષણિક આવેગમાં આવેલો વિચાર હતો. સાહસિક ઉદ્યોગવીરને માટે તો આ પરિસ્થિતિ પડકારરૂપ ગણાય. એ પડકારને ઝીલવાની કસ્તૂરભાઈમાં શક્તિ હતી, પરંતુ તેની પ્રતીતિ તેમને એ વખતે થયેલી નહીં.
ક
Scanned by CamScanner