________________
કુળ પરંપરા
૧૯
ફાળો હતો.
હેમાભાઈના મોટાભાઈ મોતીચંદના પૌત્ર ભગુભાઈ અને ભગુભાઈના પત્ર લાલભાઈ તે શેઠશ્રી કસ્તૂરભાઈના પિતા થાય. શેઠ શાંતિદાસ અને તેમના પરિવારની શરાફ, ઝવેરી અને નગરશેઠ તરીકે પ્રતિષ્ઠા ગુજરાતમાં જ નહિ, પણ ઉપર જોયું તેમ છેક દિલહી સુધી પહોંચી હતી. એ પરંપરાનાં ધર્મપ્રેમ, તીર્થસેવા, સમાજકલ્યાણ, રાજકર્તા સાથેનો સંબંધ, વેપારી કુનેહ, સાહસ અને દૃઢતા વગેરે લક્ષણો લાલભાઈ શેઠમાં પણ ઊતરેલાં હતાં. પરંપરાને જડ રીતે અનુસરવાને બદલે સમય પારખીને પરંપરાનો ત્યાગ કરવાની સૂઝ અને હિંમત પણ તેમનામાં હતી. કુટુંબમાં આજ સુધી ઝવેરી અને શરાફીનો વ્યવસાય ચાલ્યો આવ્યો હતો. ભવિષ્યમાં આ ધંધામાં બરકત નહીં રહે, એવું તેમને દીર્ઘદૃષ્ટિએ વિચારતાં લાગ્યું એટલે તેમણે મિલ-ઉદ્યોગમાં ઝંપલાવ્યું. અહીંથી એ પરંપરામાં નવો વળાંક આવે છે.
ટીપ * ૧. તા , . . ૨. તીજોરા, . , . ૩. તીજાં, પૃ. ૨૨, ૨૦. ૪. તાશા, ૬. ૨૩. ૫. તાલુ, પૂ. રર. ૬. તારા", પૃ. ૨૬, ૨૭. . ૭. તીજોરી, . ૩૬, ૪૮. ૮. તીલેશા, પૃ. ૪૬. ૯. તીજોરા, પૃ. ૧૦, ગૂપાએ, g. ૨૪૮. ૧૦. તીજોરા, . ૧૫. ૧૧. તીજોરા, ૫. પ.
Scanned by CamScanner