________________
મંગલાચરણ
સુખને અનુભવનારા ન્યા. પાતંજલ યોગ દર્શનમાં મહર્ષિ પતંજલી પણ લખે છે કે, સંતોષથી અનુપમ સુખનો લાભ થાય છે. આજે સંતોષને જ માનવીએ જીવનમાં સળગાવી. નાખ્યો, પછી માનવી ગમે તેટલો ધર્મ કરતો હોય પણ તે ધર્મના યોગે તેનો આત્મા ઊર્ધ્વગામી બનતો નથી, જીવનમાં સંતોષ આવ્યા પછી જ ધર્મનો ખરેખરો રંગ જામે છે, સંતોષના લીધે ધર્મ ક્રિયામાં મનની ખૂબ ખૂબ એકાગ્રતા રહે છે, લોભીનું મન જ્યાં ત્યાં ભટકે, જ્યારે સંતોષીનું મન ધર્મ ક્રિયામાં સ્થિર રહે છે, સ્થિરતાનો આનંદ કોઈ અપૂર્વ છે ! એટલા માટે જ કહેવતમાં પણ કહેવાય છે કે “સંતોષી સદા સુખી'. ધન વૈભવનાં સુખ કરતાં સંતોષનું સુખ ઘણું ચઢિયાતું છે. - વસ્ત્ર પહેર્યા વિના એકલા અલંકારની શી શોભા?
માનવી પોતાના શરીર પર ગમે તેવા કિંમતી અલંકાર, આભૂષણ કે ઘરેણું ધારણ કરે, તેની સજ્જનને લેશ પણ ઈર્ષ્યા ન હોય. મસ્તક પર કિંમતી મુગટ ધારણ કરે, કાનમાં કુંડલ ધારણ કરે, ગળામાં કિંમતી હાર ભલે પહેરે, પણ તેવા અલંકાર ધારણ કરનારે શરીરના નીચેના ભાગમાં કમથી કમ વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ. શરીરના ઉપરના ભાગમાં કિંમતી અલંકાર પહેર્યા હોય અને નીચેના ભાગમાં એક લંગોટી સરખી પણ ન બાંધી હોય, તો અલંકાર પહેર્યાની કોઈ શોભા રહેતી નથી. તેવો મનુષ્ય ભર બજારમાંથી નિકળ્યો હોય તો લોકો તેનો હરીયોજ બોલાવવાના છે. તેવી જ રીતે સામાયિક