________________
મંગલાચરણ
મનુષ્યોને શિક્ષા આપવા ફરે છે કે :
दीयतां दीयतां लोकाः अदातु फलमीद्रीशम् ।
હે લોકો ! તમારે આંગણે આશાભર્યા કોઈ આવી ચડે તેને આપો આપો. અમે પૂર્વે દાન આપીને આવ્યા નથી તો જોઈ લો અમે કેવાં ફળ ભોગવી રહ્યા છીએ, અને તમે દાન પુણ્ય કરીને આવ્યા છો તો અમારી અપેક્ષાએ કેટલા બધા ઉચ્ચ સ્થિતિએ પહોંચેલા છો ? પણ હવે સમજીને દાન નહીં કરો તો જે અમારી હાલત વર્તમાનમાં છે તેવી હાલત તમારી ભવિષ્યમાં થવાની છે. ભિક્ષુઓ કેવી મજાની શિક્ષા ઘેરઘેર આપતા ફરે છે, માટે અતિથિ આદિની ગૃહસ્થ ઉચિત પ્રતિપત્તિ કરવી એ ગુણ પણ ગૃહસ્થોના ગૃહસ્થાશ્રમને શોભાવનારો અને દીપાવનારો છે.