Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 359
________________ ૩૨૦ મગલાચરણ લોક અને અલોક ધર્મ ધ્યાનનો ચોથો પ્રકાર છે. સંસ્થાન વિચય. લોક પદ્યાત્મક કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને કાળ આ ષદ્ભવ્યો છે. જેમાં પ્રદેશ સમૂહ હોય તે દ્રવ્યને અસ્તિકાય સ્વરૂપ કહેવામાં આવે છે. કાળ દ્રવ્યમાં પ્રદેશ સમૂહ નથી માટે તે અસ્તિકાય નથી. બાકીના પાંચે દ્રવ્યો અસ્તિકાય સ્વરૂપ હોવાથી પચાસ્તિકાય કહેવામાં આવે છે. આ પંચાસ્તિકાય અથવા ષદ્ભવ્ય જ્યાં હોય તે લોક અને આકાશદ્રવ્ય શિવાય બીજા કોઈ દ્રવ્યનો જ્યાં યોગ ન હોય તે અલોક. ઊર્ધ્વ, અધો અને તીર્ આમ લોકના ત્રણ વિભાગ પડે છે. તે લોકની આકૃતિ અને સંસ્થાન સંબધી ચિંતવના કરવી તે સંસ્થાન વિચય નામે ધર્મ ધ્યાનનો ચોથો પ્રકાર કહેવાય. તેમાં અધોલોક સાત નરકની અપેક્ષાએ સાત પ્રકારે છે. તિર્થ્યલોક અનેક પ્રકારે અને ઊર્ધ્વલોક પંદર પ્રકારે છે. તેમાં દસ પ્રકાર ખાર દેવલોકના છે. નવમા, દસમા, અગિયારમા અને ખારમા એ બે બે દેવલોકના ઈન્દ્રો એકેક હોય છે. એટલે ઊર્ધ્વલોકના દસ ભેદો થયાં. નવચૈવેયકમાં ત્રણ અધો, ત્રણ મધ્ય અને ત્રણ ઉપરના મળીને ત્રણ ભેદો થયા. પાંચ અનુત્તરનો એક પ્રકાર અને એક પ્રકાર સિદ્ધશિલાનો આમ પંદર ભેદે ઊર્ધ્વ લોક કહેવાય છે. તેમાં અધોલોક અધોમુખ રાખેલા રામપાત્ર જેવા સંસ્થાનવાળો અથવા ઉપર ઉપર રાખેલા શરાવની આકૃતિ જેવો છે. નીચેનો શરાવ સૌથી મોટો હોય પછી ઉત્તરોત્તર

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382