________________
મંગલાચરણ
નયો વડે પૂર્વગત શ્રતને અનુસારે ચિંતવવા તે સપૃથફત્વ કહેવાય. પૃથકૃત્વ સવિતર્ક પછી સવિચાર શબ્દનો પ્રયોગ થયો છે. સવિચાર એટલે એક અર્થના ધ્યાનમાંથી ઉપયોગ બીજા અર્થના ધ્યાનમાં જાય. એક શબ્દથી બીજા શબ્દમાં જાય, અને એક યોગમાંથી બીજા યોગમાં જાય. આ રીતે પૃથત્વવિતર્ક સવિચાર નામે શુકલધ્યાનનો પહેલો પ્રકાર થયો.
શુકલધ્યાનના પહેલા પ્રકારમાં જે કે ધ્યાનની ધારા એક દ્રવ્ય કે એક ગુણ ઉપર ટકતી નથી તો પણ તે ધ્યાનમાં મનની સ્થિરતા અપૂર્વ હોય છે. કારણ કે મન જાય તો પણ દ્રવ્યથી અન્ય દ્રવ્યપર અથવા ગુણથી ગુણાન્તરપર જાય પણ મન વિષય, કષાય કે તેવા કોઈ પણ અશુભ પ્રકારો પર તો ન જાય. એટલે તે પહેલા પ્રકારના શુક્લધ્યાનના પ્રભાવે પણ પૂ. રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ ગુણસ્થાન કમારોહમાં ફરમાવે છે તેમ
- प्राप्नोत्यतः परांशुद्धि, सिद्धिश्रीसौल्य वर्णिकाम् ।।
તે ધ્યાનના પ્રભાવે જીવ ઉત્કૃષ્ટ વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. તે વિશુદ્ધિ સિદ્ધિસુખની સાક્ષાત્ વાનગીરૂપ હોય છે. આ પ્રથમ પ્રકારનું શુકલધ્યાન જે કે પ્રતિપાતિ પણ થાય છે. ઉપશમ શ્રેણીએ ચડેલા મહાપુરૂષો પણ આ ધ્યાનને ધરે છે છતાં તેઓ નિયમાં પાછા નીચે પડે છે. ઉપશમ શ્રેણીએ ચડેલો મુની જે શ્રેણીથી જ કાળ કરે તો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને એકાદ ભવ કરીને તે મોક્ષે જાય છે. જેમાં