Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 367
________________ મંગલાચરણ મોહનીય કર્મની પ્રકૃતિઓને છવ ખપાવતો જાય તે ક્ષપકશ્રેણી કહેવાય અને જેમાં દબાવતો જાય તે ઉપશમશ્રેણી કહેવાય. આઠમે ગુણકાણેથી શ્રેણી મંડાય છે તેમાં ક્ષપકશ્રેણએ આત્મા ચડવો હોય તો તે આઠમે ગુણઠાણેથી નવમે દશમે પહોંચે અને દશમેથી સીધો બારમે ગુણઠાણે પહોંચે. ઉપશમણુએ ચડેલો દશમેથી અગીયારમે ઉપશાંત મોહ ગુણસ્થાને પહોંચે અને ત્યાંથી નિયમ નીચે પડે. શુકલધ્યાન અને શ્રેણીમાં હોય છે. ક્ષપકશ્રેણીમાં ધાનની ધારા અત્યંત સુવિશુદ્ધ હોય છે એટલે તે શ્રેણીએ ચડેલો જીવ પડતો નથી. જેમાં પોતાના એક આત્મદ્રવ્યપર અથવા એક ગુણપર્યાયપર ધ્યાનની ધારા અખંડ રહે તે શુકલ યાનનો બીજો પ્રકાર શુક્લધ્યાનનો બીજો પ્રકાર છે એકત્વ વિતર્ક અવિચાર. निजात्मद्रव्य मेकंवा, पर्यायमथवा गुणं । निश्चलं चिन्त्यतेयत्र, तदेकत्वं विदुर्बुधा ।। | (ગુણસ્થાન કમારોહ) શુકલધ્યાનના બીજા પ્રકારમાં નિશ્ચલપણે મૃતના અનુસારે પોતાના જ એક આત્મદ્રવ્યને અથવા પોતાના ગુણને અથવા પોતાના આત્મદ્રવ્યના એક પર્યાયને ચિંતવવામાં આવે તે એકત્વ કહેવાય. આ બીજા પ્રકારના ધ્યાનમાં વ્યંજન (શબ્દ) અર્થ અને યોગોમાં પરાવર્તન કરવાનું હોતું નથી. મન, વચન

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382