________________
૩૨૬
મંગલાચરણ
શરીરમાં ગમે તેવા રોગો લાગુ પડવાથી પણ જેઓ લેશ કપાયમાન ન થતા હોય ઇન્દ્રિયોના ગમે તેવા ઈષ્ટ વિષયોથી પણ જેમનું મન વ્યાકુલિત ન ખનતું હોય, તેવા પુરૂષો જ મનની સ્થિરતા કેળવવાપૂર્વક શુકલ ધ્યાન ધરી શકે.
ધ્યાનની ધારા દ્રવ્યથી દ્રવ્યાન્તરમાં જાય, ગુણથી ગુણાંતરમાં જાય તે શુકલધ્યાનનો પહેલો પ્રકાર
શુકલધ્યાન પણ ચાર પ્રકારે છે. પૃથત્વ વિતક સવિચાર, એકત્વ વિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને ન્યુપરતક્રિયા અનિવર્તિ. શરૂઆતના બે પ્રકારના ચિંતનમાં શ્રુતનું આલંબન હોય છે એટલા માટે વિતક શબ્દનો પ્રયોગ થયો છે, એટલે કે શ્રુતના આલમને સ્વ આત્માના દ્રવ્યગુણ પર્યાયનું પોતાના ઉપયોગને અંતરમાં વાળીને ધ્યાન કરવામાં આવે તે શુકલધ્યાનનો પહેલો પ્રકાર ગણી શકાય. પૃથ શબ્દનો અર્થ એ રીતે કરવાનો છે કે શુકલધ્યાનના પહેલા પાયાનુ ધ્યાન કરનારા ધ્યાતાનો ઉપયોગ એક દ્રવ્યથી બીજા દ્રવ્યપર જાય. ગુણુથી ગુણાન્તરમાં ઉપયોગ જાય અને પર્યાયથી ખીજા પર્યાયમાં ઉપયોગ જાય. એકના એક દ્રવ્ય ગુણુ કે પર્યાય ઉપર ઉપયોગ ટકી ન શકે અને દ્રવ્ય ગુણુપર્યાયના ધ્યાનમાં દ્રવ્ય ઉપરના ધ્યાનથી હુઠીને ઉપયોગ દ્રવ્યાન્તરના ધ્યાનમાં લાગી જાય. પર્યાયપરથી અન્ય પર્યાયના ધ્યાનમાં ઉતરી જાય. એટલા માટે પૃથ શબ્દનો પ્રયોગ થયો છે. કોઈ એક વસ્તુના (દ્રવ્યના) ઉત્પાદ્ સ્થિતિ વ્યય ભૂત્વ અમૃત ત્વાદિ પર્યાયોને દ્રવ્યાસ્તિક તથા પર્યાયાસ્તિક આદિ