Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 363
________________ ૩૨૪ મંગલાચરણ લક્ષ કેન્દ્રિત કરવામાં આવે તો ચારે બાજુ ભમતા એવા પોતાના મનને જરૂર નિર્યાત સ્થાનમાં રહેલા સ્થિર દીપકની જેમ કોઈ એકાદ પદાર્થના ચિતનમાં સ્થિર કરી શકાય. આજે કેટલાક વિપશ્યનાના પ્રયોગો કરે છે પણ જૈન દર્શનમાં સમ્યગદર્શન એ જ ખરી વિપશ્યના છે. શરીરમાં ચાલતા શ્વાસપર કે શરીરના અમુક અવયવોપર ઉપયોગને એકાગ્ર કરવા કરતાં ભગવાનની આજ્ઞા સંબંધી વિચારણામાં ઉપયોગને એકાગ્ર કરવામાં આવે તો પરંપરાએ ઉપયોગ અંતરમાં પોતાના સ્વરૂપ ભણી વળતો જાય અને પ્રાંતે પોતે જ પોતામાં સમાઈ જાય. હવે આના જેવી બીજી કઈ ધ્યાનયોગની અપૂર્વ સિદ્ધિ હિોઈ શકે ? યોગીરાજ આનંદઘનજીએ ફરમાવ્યું છે કે इडा पिंगला नाडी तज योगी, - સુતરા ઘર વાણી . ब्रह्मरंध्रमधि आसन करी योगी, अनहत नाद बजासी, म्हारो बालुडो संन्यासी ।। ઈડ પિંગળા નાડીનો ત્યાગ કરીને યોગીઓ સુસમણ નાડીથી પાન કરતા હોય છે. ઈડ પિંગળા એ સૂર્યનાડી અને ચંદ્રનાડી કહેવાય છે. તે ડાબી અને જમણી સાઈડમાં ચાલે છે. સુસુમણા મધ્યમાં ચાલે છે. તે દ્વારા યોગીઓ ધ્યાન કરે છે અને અંતે પોતાના ઉપયોગને બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને પોતાની ધ્રુવ સત્તાનાં દર્શન કરે છે.

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382