________________
મંગલાચરણ
૩૧
યોગ નિરોધ માટે ત્રિજા પ્રકારનું શુકલધ્યાન
ત્રીજું સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું શુકલધ્યાન, જ્યારે અંતમુહૂત જેટલું આયુષ્ય ખાકી રહ્યું હોય ત્યારે નિર્વાણુ ગમનના સમયે હોય છે. તે સમયે કેવળી ભગવાન યોગ નિરોધ માટે ત્રીજુ શુકલધ્યાન ધ્યાવે છે. યોગ નિરોધ કરવાની શાસ્ત્રોમાં રીત એવી ખબતાવી છે કે કેવળી ભગવાન માદર કાયયોગમાં સ્થિતિ કરીને માદર એવા વચનયોગ અને મનોયોગને સૂક્ષ્મ કરી નાખે છે. એટલે તે યોગોના વ્યાપારને થંભાવતા જાય છે. ત્યાર ખાદ તે સૂક્ષ્મ કરેલા મનયોગ અને વચનયોગમાં રહીને ખાદર કાયયોગને સૂક્ષ્મ કરી નાખે છે. તે સૂક્ષ્મ એવા કાયયોગમાં રહીને સૂક્ષ્મ એવા મનોયોગ અને વચનયોગનો નિગ્રહ કરે છે એટલે સથા તેની સત્તાનો અભાવ કરે છે. ત્યારખાદ સૂક્ષ્મ એવા કાયયોગમાં ક્ષણવાર સ્થિતિ કરીને જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને પોતે અનુભવે છે. પૂ. આચાય ભગવાન રત્નશેખરસૂરીશ્વરજી ગુણસ્થાન ક્રમારોહ ગ્રંથમાં કમાવે છે કે ઃ
"
छद्मस्थस्य यथाध्यानं मनसः स्थैर्यमुच्यते । तथैव वपुषः स्थैर्य, ध्यानं केवलीनो भवेत् ॥
જેમ છદ્મસ્થ યોગીનું ધ્યાન મનની સ્થિરતા માટે હોય છે તેમ કેવલી ભગવાનનું ધ્યાન કાયાની સ્થિરતા એ જ હોય છે. કેવલી ભગવાનને આ રીતે તેરમા સયોગી ગુણુસ્થાનમાં સૂક્ષ્મ કાયયોગની સ્થિતિમાં સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ ધ્યાન