________________
મંગલાચર
રીતે સ્વાનુભવ વિના ધ્યાનજનીત સુખને પણ મનુષ્યો જાણી શતા નથી. ધ્યાનયોગનું આખરી ફળ ચિત્તની સમાધિ છે. જે સ્વરૂપનું ધ્યાન ધરવામાં આવે તેમાં તન્મયતા આવી જાય. અથવા સ્વરૂપમાં સમાઈ જવું તે જ સમાધિ છે. વિકલ્પમાત્રનો સંન્યાસ થઈ જતાં નિર્વિકલ્પ સમાધિ પ્રગટે છે. નિર્વિકલ્પ સમાધિ
એ જ યોગરૂપી ગિરિરાજનું છેલ્લામાં છેલ્લું શિખર છે. એ. શિખર સર થઈ જાય એટલે આત્મા ગુણઠાણુની ઉચ્ચ. ભૂમિકા પર આરૂઢ થાય છે. ઉચ્ચ ગુણઠાણાની ભૂમિકાએ પહોંચેલા આત્માનું સુખ પણ સર્વોત્તમ હોય છે માટે સ્વાનુભવ ગમ્ય એવા ધ્યાનજનિત સુખને શબ્દોમાં લાવી ન શકાય. આ ધ્યાનમાં પણ પૂર્વગત મૃતનું આલંબન તો હોય છે જ. આ ધ્યાન બારમા ગુણસ્થાનના અંત સુધી હોય છે. તેમાં યથાખ્યાત ચારિત્ર હોય છે. શુકલધ્યાનના આ બન્ને ભેદોમાં. સુવિશુદ્ધ શુકલ લેશ્યા હોય છે. અને તે પાનના પ્રભાવે જીવ તેરમે ગુણસ્થાને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને કેવલજ્ઞાનના પ્રભાવે જીવ લોકાલોકના ભાવોને હસ્તામલવત જાણતો અને
તો થઈ જાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે ત્રણે યોગને આધારે પ્રથમ શુકલધ્યાન હોય છે કોઈ એક યોગને આધારે દ્વિતીય શુકલધ્યાન હોય છે. કેવલ કાયયોગીને ત્રીજુ શુકલધ્યાન હોય. છે અને અયોગીને ચોથું શુકલધ્યાન હોય છે. છેલ્લા બે પ્રકારમાં મૃતનું આલંબન હોતું નથી. બારમા ગુણઠાણના છેલ્લા સમય સુધી મૃતનું આલંબન જ્ઞાનીઓએ સ્વીકારેલું છે.
જ્યારે અત્યારથી જ આપણે આલંબન છોડી દઈએ તો આપણી હાલત શી થવાની ?