________________
કર
મંગલાચરણ
વાગ્યા સુધી માણસ રખડતા હોય છે. તેમાં સિનેમાએ દાટ વાળ્યો. રાત્રીનો છેલ્લો શો પણ કેટલાકો જેવા જાય. રાત્રીના
જ્યાં ત્યાં ભટકવાથી ચોરી છેડતી વગેરેના અણછાજતા બનાવો પણ આજે છાશવારે બનતા હોય છે. માટે આદેશ અને અકાળની ચર્યાનો પરિત્યાગ કરીને મનુષ્યોએ સત્સંગ પરાયણ બનવું, જેથી જીવનમાં ધર્મનો સાચો રંગ લાગે અને જીવન ઉત્તરોત્તર ધન્ય બને !