________________
૩૦.
"देता है के नही, न देगा तो
મગલાચરણ
तेरेको जानसे मार दिया जायगा "
આવી રીતે દમદાટી આપીને પૈસા પડાવી લેવા તે સ્તેયાનુબંધી રૌદ્રધ્યાનનો વિષય કહી શકાય. ડાકુઓ ભેગા મળીને કોઈ શ્રીમંત ગૃહસ્થને ત્યાં ખાતર પાડવાની અગાઉથી યોજના ઘડતા હોય અને તેમને મનમાં એવા નિય વિચારો આવી જાય કે આપણે બધા મળીને ખાતર પાડવા જઇએ અને જે કોઈ સામા થાય તેમને જાનથી ઉડાવી દેવા અને ગમે તે ભોગે ધનનું હરણ કરીને જ પાછા ફરવુ' તે સ્ટેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય !
ધનધાન્યાઢિ પરિગ્રહના સ રક્ષણના વિચારોમાં મન એકતાન બની જાય તે પરિગ્રહસ રક્ષણાનુબંધી રૌદ્ર કહેવાય.
सर्वाभिशङ्काकलुषं चित्तंच धन रक्षणे ।
ચારેબાજુ ચોરીના બનાવો બનતા હોય એટલે મન એવા વિચારોથી ઘેરાઈ જાય કે મારે ત્યાં લૂંટ ચલાવવા આવે તે પહેલાં આ બધાનો નિગ્રહ થઈ જાય અથવા નાશ થઈ જાય તો કેવું સારૂં ? અથવા આપણે બંદૂક તલવારનો પરવાનો લઈ રાખીએ કે જેનાથી કોઈ અચાનક ચોર ડાકુ આવી ચડે તો તેને ઠાર કરી શકાય અથવા સઘળા સ્વજનાદિ ઉપર શું તેઓ મારૂં ધન ઉઠાવી જશે ? તેવી શંકાથી તે અધાયનો ઘાત કરવામાં ક્લુષિત થએલા ચિત્તની ધન રક્ષણ