Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 355
________________ ૩૬ મંગલાચરણ જાય છે. જ્યારે ખરું સુખ મનની નિરાકુળતામાં છે. દેવને લીધે મનમાં દાવાનળ લાગી જાય છે જ્યારે ખરૂં સુખ પ્રશાંત ભાવમાં છે. મોહને લીધે મન વિન્ડલતાને અનુભવે છે અને મનમાં ઉન્માદ પણ આવી જાય છે. ઉન્માદમાં સુખ નથી. સુખ હદયના આહૂલાદમાં છે. એક એક દોષ કેવો અપાય કરે છે અને તેને લીધે કેટલી હેરાનગતિ અને કષ્ટ ભોગવવાં પડે છે તેનું ઊંડાણથી ચિંતન કરવું તે અપૂર્વ ધર્મધ્યાન છે. રાગદેષાદિ દોષોમાંથી ઉત્પન્ન થતા અપાયોનું ચિંતન કરનાર તે તે દોષોમાંથી મુક્ત થતો જાય છે અને નવા કર્મોના બંધથી પણ તે આત્મા બચી જાય છે. अशुभ शुभ कर्मपाकानुचिन्तनार्थो विपाक विचयःस्यात् એક ગણું કર્મ, વિપાકમાં કોટી કોટી ગણું શુભાશુભ કર્મોના વિપાક સંબંધી ચિંતવન કરવી તે વિપાક વિચય નામે ધર્મધ્યાનનો ત્રીજો પ્રકાર છે. શુભ કામનો શુભ વિપાક હોય છે અને અશુભ કર્મોનો વિપાક અશુભ હોય છે. શેરડીનો રસ સુમધુર હોય છે, તો લિંબડાનો રસ અત્યંત કટુક હોય છે. શુભાશુભ બંધાયેલા કર્મો તેનો અબાધાકાળ પુરો થયે ઉદયમાં આવે એટલે જીવને તેનો વિપાક ભોગવવો પડે છે. કર્મ પ્રવૃતિઓમાં શાતા વેદની ઊંચગોત્ર દેવાયુ, મનુષાયુ વગેરે “ર” પુણ્ય પ્રકૃતિઓ છે અને અશાત વેદની નીચ ગોત્ર નરકાયુ વગેરે, “ર” અશુભ પાપ પ્રકૃતિઓ છે. પુણ્ય પ્રકૃતિઓનો વિપાક શુભ હોય

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382