Book Title: Manglacharan
Author(s): Bhuvanvijay
Publisher: Jain Shwetambar Murtipujak Tapagaccha Sangh

View full book text
Previous | Next

Page 352
________________ સિંગલાચરણ ૩૧૩ आश्रवो भव हेतुः स्यात्संवरो मोक्ष कारणम् । इतीय माहती मुष्टीरन्यदस्याः प्रपंचनम् ॥ આશ્રવ એ સંસાર પરિભ્રમણના હેતુ છે જ્યારે સંવર અને નિર્જરા મોક્ષના હેતુ છે. આટલી મુષ્ટિમાં સમાઈ જાય તેટલી અરિહંત પરમાત્માની આજ્ઞા છે બાકી શાસ્ત્રોમાં જે વિસ્તાર છે તે આટલી આજ્ઞાને સમજાવવા માટેનો વિસ્તાર છે. આ આજ્ઞાને આરાધીને અનંતા મોક્ષપદને પામ્યા છે અને અનંતા પામવાના છે. ચાલુ વર્તમાનમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી ઘણા આત્માઓ મોક્ષપદને પામી રહ્યા છે. જીનાજ્ઞાને આગળ રાખીને જીવાજીવાદિ નવતત્વ સંબંધી ચિંતવના કરવી તે પણ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. ધર્મધ્યાન માટે નવતત્વના અભ્યાસની જરૂર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે : सर्वज्ञवचनंसूक्ष्मं हन्यते यन्न हेतुभि । तदाज्ञारुपमादेयं न मृषाभाषिणो जिनाः ।। સર્વજ્ઞ વચન સૂક્ષ્માતિસૂક્ષમ હોય છે. અતિ ગંભીર રહસ્યો તેમાં ભરેલાં હોય છે. ગમે તેવા હેતુઓ અને યુક્તિઓ વડે સર્વજ્ઞ વચન ખંડિત કરી શકાતું નથી. સર્વજ્ઞ મહાપુરૂષો વીતરાગ હોય છે. તેઓ સમ્યગૂ પ્રરૂપણ કરનારા હોય છે. મિથ્યા પ્રરૂપણ કરનારા હોતા નથી માટે તેમની આજ્ઞાનો

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382