________________
ગલાચરણ
૧
"ધર્મધ્યાન અને શુકલધ્યાન
આત અને રૌદ્રધ્યાનપર વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું. તે મને ધ્યાન અને તેના આઠે પ્રકાર પરિહરવા યોગ્ય છે. તેવી રીતે ધર્મધ્યાન અને શુકલધ્યાનના પશુ ચાર ચાર પ્રકારો છે. તે મને આદરવા યોગ્ય છે. ધર્મ ધ્યાન જીવનાં શુભોપયોગરૂપ છે. તો શુકલધ્યાન શુદ્ધોપયોગરૂપ છે છતાં તે બન્નેને તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વાતિ મહારાજે મોક્ષના હેતુ કહ્યા છે.
आर्त रौद्र धर्म शुक्लानि, परे मोक्ष हेतु ।
ધ્યાનના ચાર પ્રકારમાં છેલ્લા એ ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષના હેતુ છે. જેઓ શુભ ક્રિયાઓને અને શુભોપયોગને મોક્ષમાગ માં ઉપાદેય ન માનતા હોય અને શુભ વિકાર છે એમ કહીને દુનિયાને ભ્રમમાં નાખતા હોય તેમણે
આ ઉમાસ્વાતિજીના વચનો હૃદયની દિવાલ પર કોતરી રાખવા જેવા છે. શુભોપયોગ પણ મોક્ષમાગ માં ઉપાદેય છે. અને મોક્ષના ધ્યેયથી કરાતા સામાયિક પ્રતિક્રમણ વ્રત પચ્ચક્ખાણાદિ શુભાનુષ્ઠાન માત્રને જ્ઞાનીઓએ ધર્માનુષ્ઠાન કહ્યા છે.
ધર્મ ધ્યાનનું સ્વરૂપ અને પ્રકારો
ધર્મધ્યાનના ચાર પ્રકાર શાસ્ત્રોમાં કહેલા છે. આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સસ્થાન વિચય