________________
૩૦૬
મંગલાચરણ
શ્રેણીક મહારાજાએ પોતાના સૈનિકોની આગળ શિકાર કળાનાં વખાણ કર્યા. મહા ભયંકર હિંસાનું પાપ આચરીને ઉપરથી રસ પોષ્યો એટલે નરકાનો બંધ પડી ગયો. અથવસાયોમાં અત્યંત ઉગ્રતા એ જ રૌદ્રધ્યાનનું સ્વરૂપ કહેવાય.
અજ શબ્દનો અર્થ બોકડો કરનાર
વસુરાજાની ભયંકર દુર્ગતિ રૌદ્રધ્યાનનો બીજો પ્રકાર છે મૃષાનુબંધી રૌદ્રધ્યાન તે અંગે પ્રશમરતિસૂત્રની ટીકામાં લખે છે કે :
अनेनानेन चोपायेन परो वञ्च्यते कुट साक्षीदानादिना तत्रेकतानं, मनोरौद्रं ॥
બીજાને છેતરવાના અથવા કપટની જાળમાં ફસાવવાના ઉપાયો મનમાં ગોઠવી રાખ્યા હોય અને પછી મનમાં ચિંતવના એવી કરે કે આ ઉપાયોવડે સામો માણસ છેતરાઈ જશે અને બિછાવેલી જાળમાં બરોબરનો ફસાઈ જશે. ખોટી સાક્ષી આપવાવડે અથવા ખોટા દસ્તાવેજ વગેરે બનાવવાવડે સામો માણસ ચક્કરમાં આવી જશે. તેવા વિચારોમાં મન એક્તાન બને તે મૃષાનુબંધી રૌદ્ર કહેવાય. જેમ વસુરાજાએ અજ શબ્દનો અર્થ બોકડો ભરસભામાં જાહેર કર્યો અને જાહેર કરતાં પહેલાં તેનું મન વિચાર વમળમાં ચડી ગયેલું અને વસુરાજા અંદરથી જાણતો પણ હતો કે મારા વિદ્યાગુરૂ ક્ષીરકદંબક ઉપાધ્યાયે અજ શબ્દનો અર્થ બોકડો નહીં પણ