________________
મંગલાચરણ
૩
!111111
હિંસાનુબંધી રૌદ્ર કહેવાય અથવા મારૂં કે મરું દુનિયામાં કા આ નહીં ને કાં હું નહીં એવા રૌદ્ર પરિણામ તે રૌદ્રધ્યાન. શાસ્ત્રોમાં કાળસૌરિક કસાઈનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. તે દરરોજ રાજગૃહી નગરીમાં પાંચસો પાડાનો વધ કરતો. તેવી ઘોર હિંસા અટકાવવા મહારાજા શ્રેણકે તેને અંધારિયા કુવામાં ઊંધે માથે લટકાવ્યો છતાં તેને મન પરિણામમાંથી હિંસાનો ભાવ ન ગયો. અને કુવાની અંદર પાણીમાં પાડાની આકૃતિ કલ્પી કલ્પીને પાંચસો પાડાનો માનસિક વધ ક્યોં. બસ આને જ હિંસાનુબંધી રૌદ્ર કહેવાય. આવા રૌદ્ર પરિણામને લીધે કાળસીરિક કસાઈ મૃત્યુને પામીને સાતમી નરકે ગયો. તંદલિયા મસ્યનાં પણ આવાજ રૌદ્ર પરિણામ હોય છે. તેનો ઉલ્લેખ આ જ પુસ્તકમાં કરેલો છે. હિંસા તો ભયંકર છે જ. તે કરતાં પણ હિંસાનો રસ અતિ ભયંકર હોય છે. પ્રત્યેક પાપ કરતાં પાપનો રસ અતિ ભયંકર હોય છે. માટે પહેલાં પાપ જ આચરવા યોગ્ય નથી છતાં પ્રમાદને વશ જીવ છે, ક્યારેક આચરાઈ જાય પણ તેમાં રસ તો નહીં જ પોષવો. એક તો સામા માણસને કપટની જાળમાં ફસાવવો અને પછી પાછળથી બોલવું કે આને મેં કેવો બરોબરનો ઉતાર્યો! આપણે હડફેટે ચડેલો તાકાત નથી આબાદ છટકી જાય. અરે ! એક વાર ભલભલાને ખંખેરી નાખીએ ! આ માયા કષાયનો રસ કહેવાય. શ્રેણીક મહારાજાએ સગર્ભા હરણનો શિકાર કરીને રસ પોષેલો કે હું કેવો બાણાવલી છું ! બાણ એક માર્યું ને શિકાર બે કર્યા ! હરણું સગર્ભા હતી તે તો વીંધાઈ ગઈ પણ તેના પેટમાંનો ગર્ભ પણ વીંધાઈ ગયો ! આ રીતે