________________
૨૯૪
મગલાચરણ
એ રીતની ચિંતામાં મન અંદરથી એકતાન મની જાય તે આત ધ્યાનનો પહેલો પ્રકાર. પૂરતી તપાસ કર્યા વિના ઉતાવળમાં લગ્ન કરી લીધા હોય અને કજીયાળી નાર સાથે પનારો પડ્યો હોય એટલે મનમાં આ ધ્યાન થયા કરે કે આ કભા સાથે મારે કાં પનારો પડ્યો ? અરર ! આ તો આખી જિંદગી મારે આની સાથે કાઢવાની, મારો તો આખો ભવ મગડી ગયો. આ અલા મને કયાં વળગી ? આની સાથે જિંદગી કેમ જશે ? આ લપમાંથી હું જીટીશ કયારે ? તેવી રીતે છોકરો કપૂત પાકયો હોય તો તે નિમિત્તો આ ધ્યાન કર્યાં કરે. આ છોકરો કુળમાં કલંક લગાડે તેવો પેદા થયો છે, બધા લખ્ખો પુરો છે, કુલાંગાર મારા કુળમાં કયાં અવતર્યો ? આને મારે અલગ કરી નાખવો છે. આ રીતે અનિષ્ટ શબ્દાદિ વિષયો પ્રાપ્ત થયા હોય તો તેના વિયોગની ચિંતા મનમાં રહ્યા કરે કે આ કયારે મારાથી દૂર થાય ?
અનિષ્ટ વિષયો હજી પ્રાપ્ત ન થયા હોય એટલે મનમાં ચિંતા રહ્યા કરે કે રખે મને અનિષ્ટ વિષયોનો સયોગ ન થઈ જાય ? અને અનિષ્ટ વિષયોનો સંયોગ ન થયો હોય એટલે વિચારવું આ બહુ ઠીક થયું. આ રીતે વમાન ભવિષ્ય અને ભૂતકાળ એમ ત્રણે કાળ સંબધી ચિંતવના કરવી તે અનિષ્ટ વિયોગ ચિંતા નામે પ્રકાર થયો.
આ ધ્યાનનો પહેલો
રખે ઈષ્ટ સચોગનો વિયોગ ન થઈ જાય તેવી માનસિક ચિંતા તે આત ધ્યાનનો બીજો પ્રકાર
આત ધ્યાનનો ખીન્ને પ્રકાર છે ઈષ્ટનો સચોગ થયો