________________
મંગલાચરણુ
૨૫
હોય તેનો રખે વિયોગ ન થઈ જાય તેની ચિંતામાં બંન એકતાન બની જાય. ઈષ્ટ વસ્તુ ચાલી જાય ત્યારે તેની પ્રાપ્તિ માટે સતત મનમાં ચિંતા રહ્યા કરે તે આત ધ્યાનનો ખીન્ગ પ્રકાર કહી ષકાય. પુણ્યના ઉદયે જીવને ધન, વૈભવ, લાડી, વાડી, ગાડી વગેરેના ઈષ્ટ સંયોગો મળે. હવે આત્મજ્ઞાનથી શૂન્ય એવો જે જીવ હોય તે ઈષ્ટ સંયોગોમાં જ સર્વીસ્વ માની બેસે. તેને એટલુ પણ ભાન ન રહે કે આત્મા અને આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણો જ શાશ્વત વસ્તુ છે. ખાકી જેનો સયોગ તેનો એક દિ વિયોગ નિશ્ચિત થવાનો છે. શરીર પણ આત્મા માટે સયોગિક છે. તેનો વસ્તુ નિશ્ચિત પણ વિયોગ થવાનો છે. જ્યાં શરીર પણ અનિત્ય છે ત્યાં ખાકીના ધન ધાન્યાદિ પર દ્રવ્યોની અનિયતા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે.
અહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા
મહિરાત્મભાવને લીધે જીવ ઈષ્ટ સયોગોમાં રાચે છે. શરીરાદિ પર પદાર્થોને સ્વઆત્મ બુદ્ધિએ ગ્રહણ કરવા તે જ મહિરાત્મભાવ છે. અઢારે પાપસ્થાનકોનું મૂળ ઉત્પત્તિ સ્થાન અહિરાત્મભાવ છે. જ્યાં પરદ્રવ્યને પોતાની માલિકીના માન્યા ત્યાં જીવ તેના માટે પાપ કર્યા વિના રહેવાનો નથી, જ્યારે પુદ્ગલાદિ પરદ્રવ્યોમાં એક પરમાણુ માત્ર પણ તત્ત્વ દૃષ્ટિએ જીવની માલિકીનુ નથી. આવી ભેદ જ્ઞાનની દૃષ્ટિ જાગે ત્યારે જીવ અંતરાત્મ ભાવમાં આવે છે. પરદ્રવ્યોમાં જીવને રુચિ ન હોય અને તેમાં ઉદાસીન ભાવે રહેતો હોય તે અંતરાત્મા