________________
મંગલાચરણ
૨૮૧
દ માં ત
કોઈ એક નગરમાં અનાજ અને કરીયાણાનો મોટો વ્યાપારી એક મોદી રહેતો હતો. ગોળ ખાંડ ઘી વગેરેનો પણ તેનો મોટા પાયાપર વ્યાપાર હતો. તેની દુકાનેથી દરેક પ્રકારનું મોદીખાનું મળતું હોવાથી તેની પ્રખ્યાતિ મોટ્ટી તરીકેની થઈ ગઈ. નગરના રાજાને ત્યાં પણ તેને ત્યાંથી જ મોટા પાયાપર માલ જાય. રાજાની પ્રસન્નતા હોવાથી મોદીને વ્યાપારમા નો સારો રહેતો અને રાજાની તેને ત્યાં ખરીદી થતી હોવાથી ગામના બીજા ગ્રાહકોની પણ તેની દુકાને ભીડ ઘણી સારી રહેતી. ગામના બીજા વ્યાપારીઓથી મોદીની ચડતી કળા સહન ન થઈ અને અમુક વ્યાપારીઓએ ભેગા મળીને નિય કર્યો કે રાજાને મળીને મોદી પ્રતિનું રાજાનું વલણ પહેલા તોડી નાખવુ. એટલે એની મેળે એના વ્યાપારમાં પડતી આવી જશે. અને રાજાની પાસે આપણી પ્રતિષ્ઠા વધી જશે. પણ તેમને એ ખખર ન હતી કે અંતે ખાડો ખોદે તે જ તેમાં પડે છે. મોદી ઘણો જ પ્રામાણિક હતો. વ્યાપારમાં તે અનીતિ કરતો નહીં એટલે ખીન્નુ કોઈ છિદ્ર તેમના હાથમાં આવ્યું નહીં. મોદીના ઘરમાં મોદીની પત્ની અત્યંત રૂપવાન હતી. તે સામાન્ય કક્ષાની સ્ત્રી ન હતી પણ ગજમાં જેમ ગજરત્ન હોય અશ્વમાં અશ્વરત્ન હોય તેમ સ્ત્રીઓમાં તે સ્ત્રીરત્ન સમાન હતી. રાજાના અંતેરની મહારાણીઓનુ સૌંદય પણ તેના સૌંદયની આગળ પાણી ભરે તેવુ તેનુ સોળસોળ કળાએ ખીલી ઊઠેલુ રૂપ હતું.