________________
મંગલાચરણ
૨૮૭
તેની સાથે વાસનાનું ઝેર પણ નીતરી ગયુ. રાજાની દૃષ્ટિમાં નિર્મળતા આવી. ખાઈની આગળ પાણી મૂકયુંકે, આજથી પરસ્ત્રી માત્ર મારા માટે માતા સમાન છે. તું પણ મારા માટે માતા સમાન છો. એમ કહીને રાજાએ અખંડ શીલવ્રત જોઈને ખાઈને પ્રણામ કર્યાં અને ખાઇને એટલું જરૂર કહ્યુ કે તું મારું આ નબળી વાત કયાંય કોઈને મોઢે કરીશ નહીં.
ખાઈએ પણ કહ્યું કે આપ તો અમારા સ્વામી છો. સ્વામીની આબરૂ એ મારી આબરૂ છે. આપ નિશ્ચિંત રહેજો, પણ હવે ફરી જીવનમાં રાત ન પડે અને સદા આપના અંતરમાં મંગલ પ્રભાત રહે તેવું કરજો. રાજાએ ત્યાંથી વિદાય લીધી. તે પછી રાજાના જીવનમાં અજખ પરિવતન આવી ગયું. શીલવ્રતનો કેવો અજબ પ્રભાવ છે! આ ખાઈનો પોતાની ઇન્દ્રિયો પરનો કાબુ કેટલો ? એક માઈ માણુસ ઇન્દ્રિયોને વશમાં રાખીને પોતાના જીવનને ઉજ્જવલ મનાવી શકે, તો શુ' મ કહેવાતા મનુષ્યો પોતાના ચારિત્રનું નિર્માણ કરીને પોતાના જીવનમાં પુર બહાર ન લાવી શકે ? અર્થાત પોતાના જીવનને શુ સફળ ન બનાવી શકે ?
પછી તો મોદી પણ બહારગામથી આવી ગયો અને પોતાની પત્નીના મુખેથી આખીએ ઘટના સાંભળીને હૃદયમાં અનુપમ પ્રસન્નતાને પામ્યો. મોદીના વિરોધી હતા તેમનાએ હાથ અંતે હેઠા પડી ગયા. એક સ્ત્રી જાતમાં પણ કેટલું મનોબળ કે રાજા જેવા રાજાની આંખ ખોલી નાખી. તેના જ મનોબળની અનુમોદના કરતાં દૃષ્ટાંત પૂરું કરવાની સાથે પાંત્રીસે ખોલ પર વિવેચન પણ પૂરું થાય છે.