________________
૨૯૦
મંગલાચરણ
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન
મનની એકાગ્રતા માટે ધ્યાન એ અત્યંત ઉપયોગી વસ્તુ છે. ધ્યાનને શાસ્ત્રોમાં ધ્યાનયોગ કહેવામાં આવે છે. અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ, સમતાયોગ અને વૃત્તિ સંક્ષયયોગ વગેરે યોગના પાંચ પ્રકારોમાં ધ્યાનયોગ ત્રીજા પ્રકારમાં છે. શુભ ધ્યાનને જ ધ્યાનયોગ કહી શકાય. ધર્મધ્યાન અને શુકલધ્યાન એ બન્ને શુભધ્યાન છે જ્યારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બને અશુભ હોવાથી તે બનેની ગણના દુર્ગાનમાં થાય છે. તેને ધ્યાનયોગ કહી ન શકાય. આત્માને મોક્ષની સાથે જોડી આપે તે જ યોગ કહી શકાય. ધર્મધ્યાન અને શુકલધ્યાન બને મોક્ષના હેતુ હોવાથી તે બન્નેને ધ્યાનયોગ એ સંજ્ઞા બરાબર લાગુ પડે છે જ્યારે આર્ત અને રૌદ્ર બન્ને સંસારના હેતુ હોવાથી તેને દુર્બાન એ સંજ્ઞા લાગુ પડે છે.
સ્વમાં જે અત્યંત જાગૃત હોય તે જ
આર્તધ્યાનથી બચી શકે
આત અને રૌદ્રને લીધે વિના કારણે જીવને કર્મબંધ થયા કરતો હોય છે જેને અનર્થદંડ પણ કહી શકાય. વીણ ખાધે ને વિણ ભોગવે નાહક કર્મનો બંધ પડ્યા કરે અને આર્તધ્યાન કેમે ટળે નહીં તેને જ તો અનર્થદંડ કહેવામાં આવે છે. અનર્થદંડના પાપોપદેશ હિંસ પ્રદાન અને પ્રમાદાચરણ