________________
મંગલાચરણ
૨૪૩
સંબંધો બાંધે તો તેને પણ દીર્ઘદર્શીતા કહેવાય. પણ એવા જ વિચારોમાં ચડી જાય કે કુટુમ્બ ખાનદાન, કુટુમ્બના સંસ્કારો પણ ઊંચા, જે છોકરા વેરે મારે મારી દિકરી આપવાની છે તે છોકરો પણ સંસ્કારી, બધું બરાબર ! પણ પરણ્યા બાદ દિકરી રડે તો કેવું ખરાબ થાય ? આને દીર્ઘસૂત્રતા કહેવાય. મારા છોકરાની દીક્ષાની ભાવના ઘણી ઉત્કટ, ગુરૂ મહારાજના સંપર્કમાં આવવાથી તેનો સંસારપરનો વૈરાગ્ય પણ ઘણું ઊંચો, ધર્મનો રંગ પણ તેને પાકો લાગ્યો છે, પણ દીક્ષા અપાવું ને દીક્ષા છોડીને ફરી પાછો ઘરે આવે તો મારી ઈજ્જત શું રહે ? આવા નબળા વિચારો મનમાં આવે તેને દીર્ઘસૂત્રતા કહેવાય. છોકરાનો વૈરાગ્ય બરાબર જોઈને ચાર છ મહિના ગુરૂની પાસે રાખીને તેના ત્યાગની બરાબર કસોટી કરીને યોગ્ય ગીતાર્થ એવા ગુરૂ પાસે દિક્ષા અપાવવી તે દીર્ઘદશતા કહેવાય. માટે દીર્ઘદશીપણું તે ગુણ છે. દીર્ઘસૂત્રતા રાખવાથી તો દુનિયામાં સાંસારિક કે ધાર્મિક કોઈ પણ કાર્ય નહીં થઈ શકે. વ્યાપાર તો હું કરૂં પણ તેમાં નુકશાની લાગે તો ? અરે ભાઈ એ તો વ્યાપાર છે, તેમાં નફે પણ રહે ને ક્યારેક ખોટ પણ આવે હા, સમજીને નીતિ ને ન્યાયથી જેમાં બહુ આરંભ ને સમારંભ ન હોય, છેવટે મહારંભનો ત્યાગ રાખીને વ્યાપાર કરે તે દીર્ઘદશતા કહેવાય. આ રીતે દીર્ઘદશ બનવું તે છવીસમો ગુણ છે. પોતાના ગુણદોષને જાણનારો જ ખરો વિશેષજ્ઞ
વિશેષજ્ઞ બનવું તે સત્તાવીસમો ગુણ છે. વસ્તુના