________________
મંગલાચરણ
પ્રાણોની રક્ષા કરવી એ જ યાધમનું અનુપમ અને મહાન પ્રિન્સિપલ (સિદ્ધાંત) છે.
સૌમ્યતા અને પરોપકાર
અધીગાથામાં ચાર ગુણો લીધેલા છે. તેમાંના એ ગુણ વર્ણવી ગયા. તે પછીના એ ગુણો છે સૌમ્યતા અને પરોપકાર. જેની આકૃતિ સૌમ્ય હોય, મુખપર નિર્દયતાનો ભાવ ન હોય તેને સૌમ્યતા કહેવામાં આવે છે. નિર્દય સ્વભાવવાળા જીવો ઘરમાં અને બહારમાં અનેકોને ઉદ્દેગ કરાવનારા થાય છે. ઉગ્રતપ કરનારા તપસ્વીના મુખપર જો સૌમ્યતા હોય તો તેના દર્શીનથી કેટલાય જીવો ધર્મ પામે અને તપની ભૂરી ભૂરી અનુમોદના કરે. પણ તપસ્વીના સુખપર જો કષાયની ઉગ્રતા હોય તો ઘરના માણસો પણ તેનાથી ભયભીત અને અને બહારમાં તેના તપની અનુમોદના ન થાય. માટે જ આપણામાં ક્ષમા સહિત તપ તપવાનું કહ્યું છે અને ક્ષમા સહિત તપ તપવાથી જીવ સંચિત કર્મોના ભુક્કા ખોલાવી નાખે છે અને ક્રોધાદિ કષાય સહિતનું તપ હોય તો સુખપર ઉગ્રતા આવી જાય છે. તપસ્વી જો અતિ ક્રોધ કરી નાખે તો મુખપર કયારેક ઉગ્રતા પણુ આવી જાય. ઉગ્રતા આવે એટલે સૌમ્યતાનો ભાવ જ કયાં રહે ?
જ
૨૫૭
અજીર્ણના ચાર પ્રકાર વસ્તુ પચે તો અમૃત નહી તો ઝેર
જ્ઞાનનું અજીણું ગવ છે, ક્રિયાનું અણુ નિન્દા છે.