________________
મંગલાચરણ
૨૭૮
ઉપવાસી શી રીતે ? રાજાએ કહ્યું દેવી તુ તદ્ન મુગ્ધા છો ? ધર્મ તત્ત્વ પ્રતિ તારી શ્રદ્ધા અતૂટ છે પણ તું ધર્મતત્ત્વના રહસ્યને જાણતી નથી. મહાત્મા પુરૂષો અશન કે અનશન બન્ને પ્રતિ સમચિત હોય છે.
अकृताऽकारितं शुद्धमाहारं धर्म हेतवे । अश्नतोपि मुनिनित्योपवास फल मुच्यते ||
શરીરથી યોગસાધના કરવાના ધ્યેયથી ખેતાલીસ દોષથી રહીત પોતાને માટે નહીં કરેલા, નહીં કરાવેલા કે નહીં અનુમોદેલા નિર્દોષ આહારનું સેવન કરવા છતાં મુનિ ભગવંતોને નિત્ય ઉપવાસી કહ્યા છે. કારણ કે ગમે તેવા સ્વાદિષ્ટ આહારમાં પણ તેઓ આસક્તિને પોષનારા હોતા નથી. અને તેઓ ભગવાન ઉમાસ્વાતિજીએ પ્રશમરતિમાં ફરમાવ્યું છે તેમ–
पन्नगइवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ।
સર્પ બહાર ભલે વાંકો ચૂકો ચાલે પણ દરમાં જેમ સીધો પેસી જાય તેમ મુનિ ભગવંતો પણુ કોળીયો મોં માં નાખે કે સીધો અંદર ઉતરી જાય. આરોગ્યની દૃષ્ટિએ ચાવે એ અલગ વાત છે પણ તેમાં સ્વાદ વૃત્તિને ન પોષે ખારવી દુઃકાળ પડ્યો હોય, પેટને પોષણ આપવાનું બીજું કાંઈ પણ સાધન ન હોય, ઝાડનાં પાન પણ તદ્દન સૂકાઈ ગયા હોય આવા સમયે કોઈનો પુત્ર મૃત્યુને પામ્યો હોય અને તેના માતાપિતા તેના પિંડને અગ્નિમાં શેકીને તેનું ભક્ષણ કરે તો તે કેવા મને કરે ? જો કે આવું અપવાદમાં મને, બાકી