________________
મગલાચરણ
૨૫૫
પોતાના પુત્રપૌત્રાદિ પણ ધર્મથી વિમુખ બનેલા હોય તો તે પણ દયાને પાત્ર છે. પછી ભલે તેમને કરોડોનો વારસો મળવાનો હોય છતાં તે ભાવદયાને પાત્ર છે. આ જિન શાસનમાં સમ્રાટ કહેવાતો ચક્રવતી પણ ધર્મથી વિમુખ બનેલો હોય તો તે પણ ભાવયાને પાત્ર છે, પછી બીજાની વાત કયાં કરવાની રહી ! ધર્મથી વિમુખ બનેલા ચક્રવર્તીઓ મરીને સાતમી નરકે જાય છે. કર્મ કોઇને છોડતા નથી. ચક્રવતઓ પણ અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મને આચરનારા બને તો મોક્ષે પણ જાય છે અને દેવલોકે પણ જાય,
આપણે પોતાનો આત્મા પણ સંસારિક સુખોના મોહમાં પડીને ધર્મને ભૂલી ગયો હોય તો તે પણ ભાવદયાને પાત્ર છે, ભાવદયાનો વિષય ઘણું મહાન છે છતાં દ્રવ્યદયા પણ જિન શાસનમાં સંપૂર્ણ પણે માન્ય છે. અરર ! આ જીવ બિચારો તદ્દન નિરાધાર અને અત્યંત દુઃખમય સ્થિતિમાં સપડાયેલો છે માટે આને હું મારાથી બનતી સહાય પહોંચાડું આ દ્રવ્યદયાનો વિષય થયો. દ્રવ્યદયા પણ અવશ્ય આચરવા યોગ્ય છે. દ્રવ્યદયા આચરી શક્તો નથી તે ભાવદયા શું આચરશે ?
દ્રવ્યદયા તો દીન હનની હોય, જ્યારે ભાવયાના વિષયમાં તો મોટા ધનાઢયો અને મીલમાલિકો પણ ધર્મ અને પરમાર્થથી વિમુખ બનેલા હોય તો દયાને પાત્ર લાગે. છતાં દ્રવ્યદયાનો ભગવાને કયાંય નિષેધ કર્યો