________________
૧૭૦
- ગલાચરણ
થએલા અને ઈન્દ્રિયોનું જેઓ દમન કરી શક્યા નથી તેવા અસંયમી મનુષ્યોને અનેક પ્રકારના વિષય વિકારાદિના દોષો અનેક બાધાઓ ઊભી કરનારા થાય છે.
एवमनेकेदोषाः प्रणष्टशिष्टेष्ट द्रष्टिचेष्टानाम् । दुनियमितेन्द्रियणां भवन्ति बाधाकरा बहुशः ।। ધૂતવડે અગ્નિશાંત થાય તો વિષયભોગથી
ઈન્દ્રિયો તૃપ્ત થાય પ્રશમરતિમાં પૂ. ઉમાસ્વાતિ લખે છે કે દુનિયામાં કોઈ એવા વિષયો નથી કે વિષયો માટે નિત્ય તૃષાતુર બનેલી અને પોતાની તૃષા બુઝાવવા વિષયોના માર્ગો પૂરવેગમાં દોડનારી ઈન્દ્રિયો જે વિષયોના વારંવારના સેવનવડે પોતાની પ્યાસ બુઝાવી શકે. જેમ જેમ વિષયો ભોગવવામાં આવે તેમ તેમ તૃષ્ણા ઉલટી વધતી જાય છે. વિષયોના સેવનવડે જે મનુષ્યો તૃમિને ઈચ્છતા હોય તે મનુષ્યો ભડભડતા અગ્નિમાં વૃતની આહુતિ આપીને તે અગ્નિને શાંત કરવા ઈચ્છે છે તેમાં અગ્નિ શાંત થતો નથી અને ઉલટો પ્રદીપ્ત બને છે. વિષયો માટે પણ તેમ જ સમજી લેવું. જલને પ્રયોગથી અગ્નિ શાંત થાય છે તેમ જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યના પ્રયોગથી ઈન્દ્રિયોના વિકારો શાંત થાય છે.
રસનાની રામાયણ મહાપુરૂષોએ કહ્યું છે કે :