________________
૧૬૮
મંગલાચરણ
નારકીના છવો દુઃખથી તરફડતા હોય એટલે પરમાધામી મનમાં હર્ષને અનુભવે, તાલી બજાવે, હા ! તે પૂર્વે ઘણું કમાં બાંધેલા છે હવે તેને કટુફ્ફળ ભોગવતા શેનું આકંદન કરે છે ? બસ આવી રીતે બીજા જીવોને દુઃખ અનુભવતા જોઈને અથવા દુઃખી કરીને મનમાં હર્ષ પામતા હોય તે આ પરમાધામીના મોટાભાઈ નહીં તો નાનાભાઈ સમજવા. પરિપુઓ પર વિસ્તૃત વિવેચન કર્યું. છએ છને તો ઠીક પણ તેમાંના એકાદ રિપુને આધીન થએલા પણ વિનાશને પામ્યા છે, તો પછી છએ છને આધીન બન્યા હોય તેમની શી હાલત થવાની ? બીજા પણ અંતરંગ દુશ્મનો ઘણું છે પણ સંક્ષેપમાં તેના છ વિભાગ પાડીને સમજાવેલ છે. પરિપુઓ પર વિજય મેળવનાર જ ઉત્તરોત્તર વિકાસને સાધી આત્માના દિવ્ય પ્રકાશને મેળવી શકે છે.