________________
સગલાચરણ
૨૪૯
અહાર પડી જાય છે ત્યાં લોકો નિઃસાર વસ્તુની માફક તેમનો ત્યાગ કરી દે છે.
જીવનમાં વિનયાદિ સદ્ગુણુ આચર્યા વિના તો કોઈ લોકવલ્લભ થઈ શકે નહીં. અને જે લોકવલ્લભ નથી તે પોતાના ધર્માનુષ્ઠાનને દૂષિત કરે છે, એટલું જ નહીં પણ બીજાના ઓષિબીજનો પણ નાશ કરે છે. જ્યારે અભયકુમારાદિની માફ્ક લોકપ્રિય બનેલો મનુષ્ય બીજા કેટલાય જીવોને ધર્મને રસ્તે ચડાવી સ્વપર ઉભયનું કલ્યાણ સાધનાર અને છે.