________________
૨૫૨
મંગલા, -
~
~ તેવા મનુષ્યોની તો વાત જ છોડી દો, તેવાઓ તો એક ભવમાં અનેક ભવ કરે. માટે લજા એ પણ મહાન સદ્દગુણ હોવાથી તેના પ્રભાવે ઘણું ઘણું અનથોથી બચી જવાય છે. દુખીના દુખનો પ્રતિકાર કર્યાવિનાની દયા અધૂરી
લજજા જેમ મહાણુ સદ્દગુણ છે તેમ દયા પણ મહાન સદ્દગુણ છે. લજજાળુની જેમ દયાળુ બનવું એ પણ અત્યંત હિતાવહ છે. દુઃખી જીવોના દુઃખનો પ્રતિકાર કરવાની જે બુદ્ધિ તેને દયા કહેવામાં આવે છે. દુઃખીને જોઈને હૃદય દ્રવી ઊઠે તે દયા ખરી પણ દુઃખી જીવોના દુઃખ દૂર કરવા માટેના શક્તિ અનુસાર પ્રયત્નો ન થાય ત્યાં સુધી દયા અધૂરી ! દુઃખીને જોઈને ઘણાના હૃદયમાં દયા ઊભરાઈ આવે પણ તેમને કહેવામાં આવે કે આને જરા સહાયની જરૂર છે તો તરત કહે કે, અમુક સંસ્થા માનવ રાહતના જ કાર્યો કરે છે તેને જણાવી દો એટલે આનું કામ થઈ જશે ! અરે ભાઈ ! સંસ્થા તો આને સહાય પહોંચાડશે પણ માનવ તરીકે દુઃખી માનવો પ્રતિ તારું પણ કંઈ કર્તવ્ય ખરું કે નહીં ? કે પછી એકલી દયાધર્મની તારે જોરશોરથી વાતો જ કરવી છે. કહેવતમાં કહેવાય છે કે એકલી વાતો કરે વડા થતા નથી. આજે આપણી સારી સ્થિતિમાં કોઈને આપણે સહાય નહીં પહોંચાડીએ તો આવતીકાલે તેવી જ નબળી સ્થિતિમાં આપણે મૂકાઈ ગયા તે ટાઈમે આપણા દુઃખમાંએ કોણ સહભાગી બનશે ? દુનિયામાં બધા દિવસો કોઈને પણ સમાન હોતા નથી. તે