________________
૪૮
મંગલાચરણ
ઈચછનાર મનુષ્યોએ સામી વ્યકિતના ઉપકારોને ક્યારે પણ ભૂલવા નહીં અને તેમનું યોગ્ય આદર બહુમાન કરવા વડે કૃતજ્ઞતા વ્યક્ત કરનાર ભાવિમાં ઉત્તમ લાભને મેળવી શકે છે. સદગુણના પ્રભાવે જ લોકપ્રિય બની શકાય
ઓગણત્રીસમો ગુણ છે લોવલ્લભ. લોકવલ્લભ યાને લોકપ્રિયતા એ પણ મહાન ગુણ છે. ઔદાર્ય, સુદાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મળબોધ વગેરે ધર્મસિદ્ધિના લક્ષણોમાં પાંચમું લક્ષણ છે જનપ્રિયત્વ, લોકપ્રિયતા માટે ધર્મ ન હોય પણ ધર્મ માટે લોકપ્રિયતા ભલે હો ! ક્ષમા, નમ્રતા, ઉદારતા, વિનય, શીલતા વગેરે ગુણો વડે લોકપ્રિય બનેલા મનુષ્યો પ્રતિ કોને પ્રીતિ ન થાય? આજે લોકપ્રિયતાના અભાવે ચુંટણીના ટાઈમે ઘણાખરાને વોટ મેળવવા માટે ભીખ માગવી પડે છે. ખુશામત કરી કરીને જે લોકપ્રિયતા મેળવવામાં આવે તે લોકપ્રિયતા જ્યાં સુધી ટકી રહેવાની છે. નિઃસ્વાર્થભાવે સેવા કરનારા મનુષ્યો જ સાચી લોકપ્રિયતા મેળવી શકે છે અને તેવી લોકપ્રિયતા મેળવી હોય તો લોકો સામેથી આવીને વોટ આપશે. તે વ્યક્તિને લાંબો ચુંટણી પ્રચાર નહીં કરવો પડે. બીજાની કૃપાથી લોકપ્રિયતા મેળવીને જે મનુષ્યો તેનો ગર્વ કરે છે તેવા મનુષ્યોને લોકપ્રિયતા
જ્યારે ચાલી જાય છે ત્યારે પારાવાર સંતાપ કરવો પડે છે. પછી તેમને કોઈ સાંત્વન આપનારે મળતા નથી. પરગજુ માણસો જ લોકપ્રિય બની શકે. જેને સેવાને નામે પોતાનો સ્વાર્થ જ સાધવો છે તેવા મનુષ્યો બે દિ ભલે આનચાંદને મેળવી છે, પણ તે ડે ટીપાવવાના છે. જ્યાં તેમની પોકળ