________________
મંગલાચરણુ
વ્રતધારી એવા જ્ઞાનવૃદ્ધ પુરૂષોની સેવા અને પોષ્યના પોષક બનવું
૨૫
અત્યાર સુધીના વિવેચનમાં તેવીસ ગુણોપર વિવેચન પુરૂં કરવામાં આવ્યું. શરૂઆતના ગુણોપર વિસ્તૃત વિવેચન થયું છે અને તે પછીના પ્રત્યેક ગુણો પર બહુ વિસ્તૃત નહીં છતાં વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. આમાલવૃદ્ધ સૌ સમજી શકે તે રીતે અત્યંત સ્પષ્ટ અને સરલ ભાષામાં વિવેચન કરવામાં આવ્યું છે. કોઈ વિદ્વાન પુરૂષ વાંચન કરે તો તેને તેના જેવું મળી રહે અને તેટલી વિદ્વત્તા નહીં ધરાવનારા સામાન્ય અભ્યાસી વાંચન કરે તો તેમને તેમના જેવુ' મળી રહે તે રીતે પ્રત્યેક ગુણોપર આલેખન કરવામાં આવ્યુ છે. આજે ભણતર તો ખૂબ વધ્યું પણ સામે જીવનનું ઘડતર થતું નથી.
જીનના ઘડતર વિનાના ભણતરની પડતર માલ જેટલી એ કિંમત આંકી ન શકાય
જીવનના ઘડતર માટે માર્ગાનુસારીના ગુણો અત્યંત જરૂરી છે. ભણતરની સાથે જેણે પોતાના જીવનનું ઘડતર કરવુ હોય તેમણે આ ગુણો જીવનમાં જરૂર ઉતારવા જોઈએ. ભણતર ગમે તેવું હોય પણ જીવનના ઘડતર વિનાના ભણતરની પતર માલ જેટલીએ કિંમત અંકાવવાની નથી. વિનય વિવેકના સંસ્કાર જીવનમાં ન હોય ત્યાં એન્ડ્રુ ભણુંતર શું કામ