________________
મંગલાચરણ
કુતર્ક વ્યક્તપણે અનેક પ્રકારે અંદરનો ભાવશત્રુ છે, એટલું જ નહીં ખોધ ને રોગરૂપ, શમ ને ખાધારૂપ, શ્રદ્ધાને ભંગરૂપ, અભિમાનને કરનારો એવો કુતર્ક અંદરના ચિત્તનો કટ્ટર ભાવશત્રુ છે. એ જ વાત પૂ. આનંદધનજીએ પણુ
લખી છે કે :
૨૧૪
તક વિચારે રે વાદ પરપરા,
પાર્ ન પહુંચે કોય ।
અભિમત વસ્તુરે વસ્તુ ગતે કહે,
તે વિલા-જંગ જોય ।।
તનો આશ્રય લઈ વાદવિવાદ કરનારા વસ્તુ સ્વરૂપના પારને પામી શકતા નથી. આગમ દૃષ્ટિથી વસ્તુને વસ્તુગતે કહેનારા જગતમાં વિરલા છે. બાકી તો જે કોઈને જઈને પૂછો સૌ પોતપોતાની માંડીને બેઠા છે.
પૂ.ચિદાનંદજીએ લખ્યું છે કે :
मार्ग साचा कोउ न बतावे जाकु जाय पुच्छीए ते तो सौ अपनी अपनी गावे
દૃષ્ટીરાગનો અધાપો
સાચો રાહ બતાવનારા જગતમાં વિરલા છે. સૌ મોટે
ભાગે પોતપોતાના વાડા કરીને બેસી ગયા છે. અને તેમને
પાછા દૃષ્ટિરાગી ભક્તો મળી જાય પછી જોઈએ શુ !
;