________________
મંગલાચરણ
- દૃષ્ટિરાગનો અંધાપો એવો છે કે, જેને માન્યાં તેને માન્યા. બીજા મહાપુરૂષો ગમે તેવા ગુણીજન હોય તો પણ તે તેમની નજરમાં ન આવે અને કેટલીકવાર તો અવગણના પણ કરી બેસે, કુદર્શનનો રાગ તે તે મહાભયંકર કોટીનો દૃષ્ટિરાગ છે જ, પણ વ્યક્તિ પરનો રાગ પણ એટલો બધો તીવ્ર નહીં હોવો જોઈએ કે બીજા ગુણીજનો પ્રતિ દ્રષ્ટિ જ ને મંડાય,
પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી દૃષ્ટિરાગ અંગે સુજસવિલાસમાં લખે છે કે: જે છતા દોષ દેખે નહીં,
જહાં જહાં અતિરાગી દોષ અછતા પણ દાખવે,
જહાંથી રૂચી ભાગી છે જ્યાં અતિરાગ હોય ત્યાં છતા દોષ પણ દેખે નહીં, અને જ્યાં રૂચી ન હોય ત્યાં અછતા દોષ પણ દાખવે, આ બધા દૃષ્ટિરાગના લક્ષણ છે. વળી લખે છે કે: - દ્રષ્ટિરાગે ચળે ચિત્તથી,
ફરે નેત્ર વિકરાળ | પૂર્વ ઉપકાર ન સાંભરે,
પડે અધિક જ જાળે છે દૃષ્ટિરાગને લીધે ચિત્ત અંદરથી અવિચળ થઈને જ્યાં ત્યાં ફરતું હોય છે. તે વો તો વ્યક્તિનાગમાં પડી જાય છે