________________
મંગલાચરણ
૨૧૮
અતિથિ આદિનો સત્કાર
માર્ગાનુસારીના આ ઓગણસમા ગુણમાં અતિથિ સત્કાર વિષે પ્રકાશ પાડવામાં આવ્યો છે. તિથિદિનને જેમને વિભાગ ન હોય અને નિરંતર શુભ પ્રવૃત્તિમાં એકાગ્રતાપૂર્વક જોડાએલા રહેતા હોય તેમને અતિથિ કહેવામાં આવે છે. તે અંગે કહ્યું છે કે :
यथावदतिथौ साधौ, दीनेच प्रतिपत्तिकृत ।
તિથિ અને પર્વના ઉત્સવોનો જે મહાત્માઓએ ત્યાગ કર્યો હોય તેમને અતિથિ કહેવામાં આવે છે અને બાકીનાને અભ્યાગત કહેવામાં આવે છે. સાધુ ભગવંતો નિરંતર પંચમહાવ્રતના પાલનમાં લીન બનેલા હોય છે. તેઓ પોતાના આચારવિચારના પાલનમાં લીન બનેલા હોવાથી લોકોને પ્રશંષા કરવા યોગ્ય હોય છે. તેવા અતિથિ સાધુ મહાપુરૂષોની ઉચિત પ્રતિપત્તિ કરવી યાને સેવા ભક્તિ કરવી તેને સાધુભક્તિ કહેવામાં આવે છે. પંચમહાવ્રતધારી અણગારને અતિથિ કહ્યા છે. તેવા મહાપુરૂષો અનુકંપાના નહીં પણ ભક્તિના પાત્ર હોય છે. સંસારસમુદ્ર તરવાની બુદ્ધિએ તેમની ભક્તિ કરવાની હોય છે.
મહેલ નહી પણ મહાણ કોઈ અભ્યાગત ઘરઆંગણે આવી પહોંચે તો તેના પ્રતિ પણ ઔચિત્ય દાખવવું જોઈએ. ઔચિત્ય એ મા.