________________
૧૨૦
મંગલાચરણુ
શુષુ છે. એક બાજુ ઔચિત્ય અને બીજી બાજુ કરોડો ગુણ
સલે કેમ નથી હોતા પણ ઔચિત્યથી રહિત એવો જે ગુણુ સમુદાય છે તે ઝેર સરખું આચરણ કરે છે. લખ્યુ છે કે :
औचित्यमेकमेकत्र गुणानां कोटिरेकतः । विषायतेगुणग्राम, औचित्य परिवर्जितः ।।
આ ગાથાનું રહસ્ય ઉપર જણાવી દ્વીધેલ છે. ગૃહસ્થગમે તેવી મહેલાતમાં રહેતો હોય પણ તેને ત્યાં અતિથિ અથવા અભ્યાગતનું ઔચિત્ય ન જળવાતુ હોય તો તે મહેલાત નહીં પણ મહાણુ છે, માટે ઔચિત્ય એ મહાન સદ્ગુણ છે.
ભિક્ષુકો તરફથી સુખી મનુષ્યોને શિક્ષા
જે મનુષ્યોમાં પુરૂષાર્થ સાધવાની મિલકુલ શક્તિ ન રહી હોય, શરીરની અપેક્ષાએ તદ્દન દુ॰લતા આવી ગઈ હોય અથવા શરીરના અંગોપાંગની અપેક્ષાએ તદ્ન વિકલાંગ ખની ગયેલા હોય તેવા દીન હીન દુ:ખી અનાથ મનુષ્યો પ્રતિ અનુકંપા કરવી અર્થાત તેવાઓને અશન વસ્ત્રાદિ આપવાવડે સહાય કરવી તે પણ ગૃહસ્થનુ કર્તવ્ય છે. બધા દ્વિવસો કોઈ માટે સમાન હોતા નથી. આજે તેવા ટ્વીન અનાથ પ્રતિ આપણે માનવતા નહીં દાખવીએ તો કયારેક તેવી સ્થિતિમાં આપણે સુકાઈ ગયા તે દિ આપણા પ્રતિ કોણ માનવતા દાખવશે ? દુઃખી મનુષ્યો ઘેરઘેર ભિક્ષા માગવા નથી કરતા પણ સુખી