________________
મંગલાચરણ
ઈર્ષ્યા ન હોય, તે તે તેના પુણ્યોદયની વાત છે. એટલી વાત જરૂર છે કે, તે વૈભવ ન્યાય સંપન્ન હોવો જોઇએ. અથર્જન માટેના નિંદનીય અને પ્રશંસનીય ઉપાયો
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી માર્ગાનુસારીના ગુણોની વ્યાખ્યા કરતાં ફરમાવે છે કે :
न्याय संपन्न विभवः शिष्टाचार प्रशंसकः । कुलशीलसमैः सार्धं कृतोद्वाहोऽन्यगोत्रजैः ।।
ગૃહસ્થ ન્યાયથી ઉપાર્જન કરેલા વૈભવ વાળો હોય. નીતિ અને ન્યાયના માર્ગમાં રહીને અર્થાજન કરવું તે વ્યવહારમાં પ્રશંસનીય માર્ગ કહેવાય. જ્યારે અર્થાર્જન માટેના જે નિંદનીય ઉપાયો છે, તેનો ત્યાગ કરીને ગૃહસ્થ ન્યાયથી અથર્જન કરે. સ્વામિદ્રોહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, અનીતિ, ચોરી વિગેરે અર્થાર્જન માટેના નિંદનીય ઉપાયો કહી શકાય. જેનું વર્ષોથી નિમક ખાતા હોઈએ તેનું નિમક હલાલ કરવાને બદલે નિમક હરામી બનવું તેજ સ્વામિદ્રોહ કહી શકાય. જેણે આજીવિકાનું સાધન કરી આપ્યું હોય અથવા જેને ત્યાં વર્ષોથી પોતે કામ કરતો હોય તે સ્વામિ કહેવાય. હવે તેનોજ દ્રોહ કરવો એ શું સામાન્ય પાપ કહેવાય ? સ્વામિનેજ દમદાટી આપે કે તમે કોઈ મને વધારે કહેશો તો તમારો ભંડો ફોડી નાખીશ. આટલા રૂપિયા તો તમારે મને આપી દેવા પડશે. ચોપડા તમે મારી પાસે તૈયાર કરાવેલા છે. માટે મારાથી ચેતીને ચાલજો, નહીં તો તમારી