________________
પર
મંગલાચરણ
પામનારા અનંતાનંત કાળમાં અનંત નીકળી આવે છે. એટલેજ વ્યવહારનય એ તીર્થ છે, તો નિશ્ચય એ તીર્થફળ છે. આ રીતનો ઉલ્લેખ સમયસારની ટીકામાં દિગમ્બર સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ પણ કરેલો છે.
૫. ઉપાધ્યાય યશોવિજયજી સવાસો ગાથાના સ્તવનમાં ફરમાવે છે કે :
નિશ્ચય નહીં પામી શકે છે
પાળે નહીં વ્યવહાર પુણ્ય રહિત જે એહવાઇ
તેહને કવણ આધાર ? જેઓ વ્યવહાર ધર્મનું પાલન કરતા નથી, તેઓ નિશ્ચયધર્મ કદાપિ પામી શકતા નથી. તેઓ પાલન તો નથી કરતા, પણ વ્યવહાર માર્ગનો લોપ કરતા હોય છે. એવા બિચાર. ભારે કમ પુણ્યહીન જે આત્માઓ છે તેમને નાથ ! આધાર કોનો ? અર્થાત્ તેમનું વહાણ ભવસમુદ્રમાં તદ્દન નિરાધાર છે, વ્યવહારને નહી પામનારા નિશ્ચયને પામી શક્તા નથી. ફક્ત શબ્દ માત્રથી નિશ્ચયનું અવલંબન કરનારા ઉભય ભ્રષ્ટ થવાથી ભવમાં ભટક્યા જ કરે છે.