________________
મંગલાચરણ
૧૦૯
તો જ આ દરવાજા ખુલશે. આ રીતની દેવવાણી સાંભળતાં રાજાને મનમાં ઘણો આનંદ થયો. તેણે વિચાર્યું નગરમાં તેવી સતિ સ્ત્રીઓ ઘણી છે. અને તેમાંએ મારા અંતેઉરમાં જે મહારાણીઓ છે તે તો સતિઓમાં પણ શિરોમણિ છે. માટે મારે કોઈ ફિકર કરવાની જરૂર નથી.
રાજાએ પોતાનું અંતર કુવે કાંઠે ભેગું કર્યું. રાજાએ. જેને સતિઓમાં શિરોમણિ માની લીધેલી પણ કોઈ મહારાણીથી. એ કામ પાર પડયું નહીં. કાચા સૂતરને તાંતણે જેવી ચારણ બાંધી ને કુવામાં નાખવા જાય કે, તડાક દેતાં કાચા સૂતરના તાંતણું તૂટી જતાં ચારણી સીધી કુવામાં પડે. અંતેકર દયામણું થયું અને રાજા હતાશ થઈ ગયો. તેનું ઘમંડ હતું તે મનમાં રહી ગયું !
પછી તો રાજાએ નગરમાં પડહ વગડાવ્યો અને જેવો પડતું સુભદ્રાના ઘર આંગણે આવ્યો કે, સુભદ્રાએ પોતાની સાસુને કહ્યું કે જે માતાજી આપ અનુમતિ આપો તો નગરના દ્વાર હું ઉઘાડી દઉં. આ વાત કાને પડતાં સાસુના કાનમાં તો જાણે તેલ રેડાઈ ગયું, અને તરત જ વહુ ને મેણું એવું માર્યું કે આજ કાલની વહુ હોય તો ઘરમાંથી ઊભી થઈ જાય. -
વારે વારે વહુવર શું કહું, નહી નિર્લજ ને લાજ નવકુલ નાગ નાશી ગયા, આવ્યું કાકી: રાજ