________________
મંગલાચરણ
૧૩૯
?
જ કહેવાય
તેને
અને કરેલાં પાપોને ઢાંકતા હોય છે, એટલે તેને ગુપ્ત રાખવાના પ્રયાસો કરતા હોય છે. જ્યારે ખરી રીતે સુકૃતના ભંડાર ગુપ્ત રાખવા જોઈએ અને કરેલાં પાપ કોઈ યોગ્ય ગીતાર્થ મહ. પુરૂષોની આગળ જાહેર કરી દેવા જોઈએ. પાપો સેવવા અને પાછા છુપાવવા એ તો મહા અપરાધ કહેવાય. વૃક્ષનાં મૂળ ઊંડા હોય અને જેમ તેને પ્રતિ વર્ષ ફળ આવે તેમ સુકૃતનાં મૂળ પણ જે ઊંડા જાય તો પરંપરાએ મોક્ષરૂપી. અમૃતફળ આવે. એકાદ સુકૃત પણ અંદરના ચડતા પરિણામથી કર્યું હોય, તો શાલિભદ્રની જેમ જીવ અનંતી પુણ્યરાશીનો ભાગી બને. અને પરંપરાએ મુક્તિ સુખ મેળવવાનો સૌભાગી બને.
પરિણામમાં અમૃત અને પરિણામમાં ઝેર
જે
કૃતનાં મૂળ
ચડતાં પરિણામ તે જ સકૃતનો પ્રાણ છે. કારણ કે સંપૂર્ણ ક્રિયાનો યોગ હોવા છતાં શુભ પરિણામનો જે અભાવ હોય તો મોક્ષની સિદ્ધિ થતી નથી. શાસ્ત્રકાર મહાપુરૂષોના વિધાન પ્રમાણે સર્વ જીવો અનંતીવાર રૈવેયકમાં ઉત્પન્ન થ ચૂકેલા છે, અને રૈવેયકમાં અસંપૂર્ણ સાધુ કિયાવાળા જીવો ઉત્પન્ન થઈ શક્તા નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, અનંતીવાર સંપૂર્ણ ક્રિયાનો યોગ થવા છતાં સમ્યક્ત્વાદિ શુભ પરિણામના અભાવમાં જીવનો મોક્ષ થઈ શક્તો નથી. ભલે પંચમહાવ્રત પાળીને નવમા સૈવેયક- સુધી જાય, પણ સમ્યકત્વના અભાવમાં પાંચ અનુત્તર વિમાનમાં પણ જઈ શકે નહીં, તો મોક્ષે જવાની તો વાત જ્યાં રહી?- આ ઉપરથી સમજી લેવું