________________
મંગલાચરણ
૨૩
અથવા કોઈને પણ ખોટી સલાહ ન આપતાં સાચી સલાહ આપે, અનેક જીવોને ધર્મને રસ્તે ચડાવે તે બુદ્ધિનો વિકાસ, શાસ્ત્રોના અભ્યાસ અને સ્વાધ્યાયથી બુદ્ધિનો વિકાસ થાય છે અને મૈથ્યાદિ ભાવનાઓના ચિંતનથી હૃદયનો વિકાસ થાય છે. બુદ્ધિમળ હોય અને સામે હૃદયમળ ન હોય તો એકલુ બુદ્ધિમળ કોઈ કામનું નહીં અને અન્નેનો સુમેળ હોય એટલે સોનામાં સુગંધ ! કેટલાક મનુષ્યો વ્યાપારમાં અનીતિ કરતા હોય છે, અનેકો સાથે વિશ્વાસઘાત કરતા હોય છે, ગરીખોનું શોષણ કરતા હોય છે, ભલભલાને કપટની જાળમાં ફસાવતા હોય છે, તેવા મનુષ્યો પાસે શું બુદ્ધિમળ નહીં હોય ? બુદ્ધિબળ તો ખરૂં, પણુ સામે હૃદયખળ નહીં. જો તેમના હૃદયમાં દયા હોત તો તેઓ ગરીબોનું શોષણ કદાપિ કરત નહીં. અનીતિ, અન્યાય અને વિશ્વાસઘાત જેવાં પાપ પણ તેઓ આચરી શકત નહીં. તેમના હૃદયમાં એવી ભાવના પેદા થાત કે, જેની સાથે હું અનીતિ અન્યાયનાં પાપ સેવી રહ્યો છું તે આત્મા અને મારા આત્મા વચ્ચે લેશ પણ અંતર નથી. જેવો મારો આત્મા છે તેવો જ સામાનો આત્મા છે. સામાના આત્માને છેતરવો તે મારા પોતાના આત્માને છેતરવા ખરાખર છે, માટે કોઈ પણ જીવ સાથે મારાથી અનીતિનો વ્યવહાર કેમ થાય ? ખસ આને જ દિલની દુનિયા કહેવામાં આવે છે. મિથ્યાત્વનો નાશ થાય એટલે દિલની દુનિયામાં શમસ વેગાદિ ગુણોનો દીવડો પ્રગટે અને જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ થાય, એટલે મૌદ્ધિક વિકાસ ઉત્તરોત્તર ચરમ સીમાએ પહોંચે. જ્ઞાન કે દર્શન મા આત્માના ગુણો છે. આ તો એક અપેક્ષાએ વ્યાખ્યા કરી છે,