________________
૨૧૪
મંગલાચરણ
ધર્મ, અર્થ અને કામ ત્રણે પુરુષાર્થ સાધવાની રીત
માર્ગાનુસારીના અઢારમા ગુણુમાં પુરુષાર્થની વ્યાખ્યા કરવામાં આવી છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રણેને પુરુષાર્થ કહેવામાં આવે છે. અભ્યુદય અને મોક્ષની જેનાવડે સિદ્ધિ થાય તે ધર્મ. જેનાથી ગૃહસ્થીને સર્વ પ્રયોજન સિદ્ધ થાય તે અ`. ઇન્દ્રિયોનાં વૈયિક સુખોનુ સેવન તે કામ પુરુષા. ગૃહસ્થ આ ત્રણે પુરુષાનુ કેવી રીતે સેવન કરે તે અંગે કલિકાલસર્વૈજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે કે :
अन्योऽन्याप्रतिबंधन, त्रिवर्गमपि साधयन् ।
ગૃહસ્થ ત્રણે વર્ગ (પુરુષા) એવી રીતે સાધે કે કોઈ પણ પુરુષાર્થીને પરસ્પર બાધા ન પહોંચે. ગૃહસ્થ ત્રણ વ માંથી એકાદ વને પકડીને બેસી જાય તો તેનું ગૃહસ્થપણું નભે નહીં. એટલા માટે કહેવામાં આવ્યુ છે કે :
त्रिवर्ग संसाधन, मंतरेण, पशोरिवायुविफलंनरस्य ।
ત્રિવર્ગ સાધ્યા વિના પશુની જેમ મનુષ્યોનું આયુષ્ય વિફળ છે. તેઓ લુહારની ધમણુ માફક શ્વાસ લેવા છતાં મરેલા જેવા છે. ત્રણે પુરુષાર્થોમાં ધમ પુરુષાથ શ્રેષ્ઠ છે, કાણુ તે વિના અથ અને કામ પણ સિદ્ધ થતાં નથી.