________________
શિર
મંગલાચરણ
દેવ ખાય, એટલે કે દેવને નૈવેદ્ય ધરાય. મધ્યાન્હ માણસ ખાય, અને રાતે રાક્ષસ ખાય. જૈન કુળમાં જન્મ પામીને રાત્રિભોજન કરવું એ જૈન કુળને લાંછન લગાડવા બરાબર છે. આજે કુળો રહી ગયા અને આચાર વિચાર લોપાતા જાય છે. “સાપ ગયા ને લિસોટા રહ્યા” આ કહેવત બરાબર લાગુ પડી જાય છે. રાત્રિભોજનનો ત્યાગ કરી દેવામાં આવે તો અજીર્ણનો સવાલ જ પ્રાયઃ ઊભો ન થાય. અજીર્ણ ન થાય એટલે સ્વાથ્ય જળવાઈ રહે. સ્વાથ્ય જળવાઈ રહે એટલે ધર્મ ક્રિયામાં પણ મનની સમાધિ ટકી રહે અને ધાર્મિક દૃષ્ટિએ પણ અપૂર્વ લાભનું કારણ થાય. માટે અજીર્ણ ભોજન ત્યાગ, આ ગુણની પણ જીવનમાં અત્યંત આવશ્યકતા છે. યોગ્ય કાળે પથ્ય ભોજન લેવું તે સત્તરમો ગુણ
સોળમા ગુણને મળતો આવે તેવો જ સત્તરમો ગુણ છે. યોગ્ય સમયે સાત્વિક અને પથ્ય ભોજન કરવું એ સત્તરમો ગુણ છે. ભૂખ લાગી હોય તેવા સમયે પોતાની પાચન શક્તિનો ખ્યાલ રાખીને સ્વાદવૃત્તિને પોષ્યા વિના ભક્ષા ભક્ષનો વિવેક રાખીને ભોજન કરનારો જે ગૃહસ્થ છે તે “જે જો તાર સચિતઃ” એ પાઠને અનુસરનારો કહેવાય. ભાણમાં જરા સ્વાદિષ્ટ વસ્તુઓ પિરસાણું હોય એટલે અત્યંત આસક્તિપૂર્વક આકંઠ ભોજન કરવાથી ઉલટી અને ઝાડા થઈ જાય છે. અને કયારેક મૃત્યુનો ભોગ પણ બનવું પડે છે. અન્ન પ્રાણને પોષે છે અને પોતાની પર કંટ્રોલ રાખ્યા વિના પેટમાં ઠાંસી ઠાંસીને દાબવામાં આવે તો અન્ન કયારેક પ્રાણોને